SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ : સાધર્મિક ભક્તિ - 56 ૨૧૭ કેમકે ત્યાં વેપારી તરીકેની છાપ છે. ભલે શ્રાવક વેપા૨ી કહેવાયો પણ મૂળ છાપ તો વેપારી તરીકેની ને ? તેમ અહીં શ્રાવકપણાની છાપ છે. બજારમાં વેપારની વાત કરો તો ત્યાં પાપ ન લાગે એમ સમજવાનું નથી પણ વેપારી છો, સંસાર છોડ્યો નથી અને ત્યાં એ વાત વિના રહેવાના નથી, તેથી એ દૃષ્ટિએ ત્યાં એ વાત કરો તો જુદી વાત છે; પણ ઉપાશ્રયમાં ભેગા થાઓ ત્યાં વેપાર આદિની કે સગપણ-વિવાહ આદિની વાત ન થાય, કારણ કે સ્થળભેદ છે. સાધર્મિકનો સમુદાય ભેળો ક૨વો અને વાત વ્યાપારાદિની કે સંસારનાં કાર્યોમાં પ્રગતિ સાધવાની કરવી, એ કેમ ચાલે ? વસ્તુની ભિન્નતા કરતાં શીખો. ઘરમાં શું કરો છો ? રસોડું જુદું, શયનખંડ જુદો, બેઠકનો ખંડ જુદો, રસોડામાં પાણી ઢળે કે એંઠવાડ પડે તો હરકત નહિ પણ બેઠકના ખંડમાં કે શયનખંડમાં એવું ન થાય એની કાળજી રાખો છો ને ? શ્રી સંઘ અને જ્ઞાતિના ભેદ સમજો !. શ્રી સંઘ એકત્રિત થાય ત્યાં શી વાતો થાય ? ‘આટલી ન્યાત જમાડો' એવો ફડચો સંઘ ન આપે. લગ્નના વરઘોડાની રજા સંઘ ન આપે. સંસાર વ્યવહારનાં કાર્યોની જવાબદારી સંઘ ન લે. રથયાત્રાના વરઘોડા, મુનિનાં સામૈયાં, નવકારશીમાં જમણ, કે ઉપધાન ઉજમણાની રજા માટે સંઘ ભેગો થાય અને રજા આપે. આ ત્રણ દિવસ બધા ભેગા થઈ કાંઈક કાર્યવાહી કરવાના છે, માટે આ વાત સમજી લેવા ખાસ ભલામણ છે. સંઘ અને જ્ઞાતિનો ભેદ સમજો. એ ભેગા થયેલા તમને કહેશે કે-શ્રાવકો બેકાર છે માટે અમુક ઉદ્યોગ-ધંધા ખોલવાની જરૂર છે. તો કહેજો કે એ વિચારો સંઘના નામે ન થાય. જ્ઞાતિ કે સમાજના નામે કરવા હોય તો થઈ શકે છે. સંઘના નામે તો પાઠશાળા, ધર્માનુષ્ઠાનો, મંદિરો, ઉપાશ્રયો વગેરેની વિચારણા થાય. સંઘ અને જ્ઞાતિનો ભેદ તમે બેઠા છો, એટલા પણ સમજો તો મજા આવે. 787 ઘણા કહે છે કે સાધુ એમની વાત કહે, તો ગૃહસ્થો પોતાની વાત ન કરે ? કબુલ છે કે કરે, પણ તેના સ્થાને ને ? દેરાસર આવેલી શ્રાવિકા સાથિયો કરતાં ‘ચોખા ઓરીને આવી છું-શાક સમારવાનું બાકી છે' એવી વાત કરે તે ચાલે ? એ દોષ કહેવાય કે ગુણ કહેવાય ? વેપા૨ી સાર્થવાહની સાથે જનારા ઠામ ઠામ વેપા૨ કરે, એ તો સમજ્યા પણ સંઘમાં યાત્રાએ નીકળેલા માર્ગમાં વેપાર કરે એને સંઘયાત્રાનો લાભ મળે ? દેરાસરે પૂજા કરવા જવા નીકળેલો માર્ગમાં બધાને ‘આવું છું, આવું છું' કહેતો મંદિરમાં આવે એની મંદિરમાં ભાવના કઈ રહે ? શાસ્ત્ર વિધિ બાંધી કે મંદિરે જવા નીકળેલાથી રસ્તામાં બીજી વાત ન
SR No.005853
Book TitleSangh Swarup Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy