SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ – ૧૫ : સંઘ, સાધુનો રક્ષક હોય કે નિંદક ? - 55 – ૨૦૭ જશો તો હજી વધારે ભીખ માગવાનો સમય આવશે. એ વખતે કોઈ બાપ પણ સહાય નહિ કરે. ભગવાનની આજ્ઞાના વિરાધકને સહાયક પણ મળતા નથી. વાસુદેવ વગેરેએ પાપ કર્યા ખરાં પણ એ પ્રભઆજ્ઞાના વિરોધી ન હતા. જિંદગી સુધી પ્રભુ આજ્ઞાને મસ્તકે રાખી હતી. એ નરકે ગયા તો એમના સ્નેહીઓ ત્યાં પણ એમને સહાય કરવા ગયા. ન કરી શક્યા એ જુદી વાત છે. એ જીવોને નરકમાં પણ શાંતિ છે કેમ કે એમનું સમ્યક્ત્વ જીવતું જાગતું છે. સમ્યગ્દર્શન નહિ પામેલા પામરો આજ્ઞા વિરાધી દુર્ગતિમાં જવાના અને ત્યાં એમને કોઈ સહાયક પણ નહિ મળવાના. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાનો અમલ શક્તિ ન હોય તો ન કરો; એટલે ન કરો એમ કહેતો નથી, કરો જ, પણ કદી શક્તિના અભાવે ન કરો પણ વિરુદ્ધ અમલ તો ન જ કરો ! જો વિરુદ્ધ અમલ થયો તો માનજો કે જિંદગીના અધ:પાતનું પગરણ શરૂ થયું. ગમે ત્યારે કોઈ સમજાવે કે-“આવું પ્રભુઆજ્ઞા વિરુદ્ધ ન બોલાય” તો તરત જ “ભૂલ્યો” કહી માફી માગજો; પણ તે વખતે “એમ પણ થાય, એમાં શો વાંધો” એવી ખોટી દલીલો કે ખોટો બચાવ ન કરતા. પિતાની ભક્તિ થાય એ ઉત્તમ, ન થાય તો ન કરતા પણ એમની સામે તો ન જ બોલાય, એમના અવર્ણવાદ તો ન જ ગવાય. મા-બાપ સાથે ન ફાવ્યું તો કદાપિ સ્ત્રીને લઈને અલગ થવું પડે તો થાઓ ત્યાં સુધી તો સમજ્યા પણ મા-બાપને કનડગત તો ન કરો ને ? એવું કરનારા તો કુદક્ક દીકરા છે. સ્વાર્થ સર્યા પછી જે દીકરા મા-બાપને પણ તરછોડી દે, એ જૈનશાસનનો શો ઉદ્ધાર કરે ? તમારાથી ભક્તિ ન થાય તો “કમ ભાગી છીએ” એમ જાહેરાત કરો પણ “એમાં શું પડ્યું છે ?' એવું ઘસાતું ન બોલો. તમારે પૂજા ન કરવી હોય, તમને સાધુ તથા જિનાગમ ન ગમતાં હોય તો મૂંગા રહો, પણ “એ આગમો બરાબર નથી” એવા બખાળા ન કાઢો ! જો કાઢો તો ચોગાનમાં ઊભા રહી એ રીતે પુરવાર કરો, એના હેતુઓ આપો, એક એક વાત યુક્તિથી સાબિત કરો ! એમ ન કરી શકો તો “અમારી વાત ખોટી હતી' એમ જાહેર કરો. તમારે આગમને ન માનવું હોય તો ન માનો પણ તે માટે તેના ઉપર ખોટાં કલંક ન આપો !જે સાધુ તમારા કુમતને ન વળગે તેને ન માનવા હોય તો ન માનો પણ એટલા માટે તેમના અંગે ખોટી વાતો બહાર ન ફેલાવો ! અમારે નિમકહરામ નથી બનવું એક વાતથી તમને ચેતવી દઉં. અહીંના કેટલાક સાંભળનાર અહીં નથી બોલાતી એવી વાતો બહાર ફેલાવે છે. ગઈ કાલે કૉન્ફરન્સ અંગે આપણે શી
SR No.005853
Book TitleSangh Swarup Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy