SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ : સંઘ, સાધુનો રક્ષક હોય કે નિંદક ? વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૬, મહા સુદ-૯, શુક્રવાર, તા. ૭-૨-૧૯૩૦ ♦ સંસાર છોડ્યા વિના મોક્ષ ન મળે : ♦ ધર્મની ઉપેક્ષા, વિધિનો અનાદર : આ શાસનમાં રાજા અને રંક બેય સમાન : · શ્રીમંત અને દરિદ્ર બેય ફરજ ભૂલ્યા : ♦ સમ્યક્ત્વને રૂઢ બનાવવા શું કરવાનું ? ♦ શું ધર્મ ક૨વા માટે જ સમય નથી ? આજ્ઞાના વિરાધક ન બનો ! • ♦ અમારે નિમકહરામ નથી બનવું : ♦ ગુરુ કે ગોર ? ♦ સુધારવાની પણ રીત હોય છે : 55 સંસાર છોડ્યા વિના મોક્ષ ન મળે ઃ સૂત્રકા૨ મહર્ષિ શ્રી દેવવાચકજી ગણિવર ફરમાવે છે કે-શ્રી સંઘ એ મેરૂ જેવો છે. મેરૂની પીઠ વજ્રની છે, દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ છે; તેમ શ્રી સંઘરૂપ મેરૂની પીઠ સમ્યગ્દર્શનરૂપ વજ્રરત્નમય અને દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ જોઈએ. એ પીઠમાં પોલાણ ન પડે માટે એમાં દઢતા લાવવા શંકાદિ પાંચ દોષો દૂર કરવા જોઈએ દૃઢ પીઠને રૂઢ બનાવવા સમયે સમયે વિશુદ્ધિ પામતા ઉત્તમ વિચારોમાં સ્થિર થવું જોઈએ. કાયમ માટે શુદ્ધ પરિણામની ધારા ચઢતી રહે તો દૃઢ સમ્યક્ત્વ પણ ઢીલું પડતાં વાર ન લાગે, કારણ કે અનાદિથી આત્મા પૌદ્ગલિક સંયોગોમાં ફસાયેલો છે. પુદ્ગલ સેવાનો અભ્યાસ એનો અનાદિનો છે. વિષય-કષાયાદિ તો આત્મા સાથે બેઠેલા જ છે. એ સ્થિતિમાં સુંદર પરિણામની ધારા જો ચાલુ ન હોય તો મહામુસીબતે અને અનંત પુણ્યરાશિથી મળેલું સમ્યક્ત્વ ટકે કઈ રીતે ? જે ચીજને ટકાવવી હોય તેનામાં તન્મય બનવું જોઈએ. જો તન્મય ન બનાય તો ૨ક્ષા ન થાય. માટે આત્માએ સમ્યગ્દર્શનની ભાવનામાં તન્મય બનવું જોઈએ. ચોવીસે કલાક તેના વિચાર હોવા જોઈએ. ભાવના એકસરખી ટકાવી રાખવી જોઈએ. ધર્મના ભોગે
SR No.005853
Book TitleSangh Swarup Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy