________________
૧૯૬ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
735 નષ્ટ કરવાનો પ્રયત્ન કરવા માંડ્યો છે. આવાઓની તો જૈન સમાજના આગેવાનોએ બરાબર ખબર લેવી જોઈએ. એવાઓની ખબર ન લેવાય તે જૈન સમાજ માટે કલંકરૂપ છે. ઓલ ઇંડિયાના જૈન સમુદાયનું પ્રતિનિધિત્વ ધરાવવાનો દાવો રાખનારી સંસ્થાના સંમેલનમાં ભેગા થયેલા સમુદાયે ત્યાં શ્રદ્ધાવિહોણા કેટલાકો આવીને દેવ-ગુરુ-ધર્મના વિષયમાં ગમે તેવી વાતો કરે તો તેને સાંભળવી જ ન જોઈએ. એવાઓને બોલતાં જ અટકાવી દેવા જોઈએ. તેમની ધર્મનાશક વાતો પ્રત્યે સખ્ત નારાજી દર્શાવવી જોઈએ. જો એવાઓની વાત જૈન સમુદાય પણ ધ્યાનમાં લે તો કહેવું જ પડે-એ સમુદાયનો અધ:પાત નિર્માઈ ચૂક્યો છે. જૈન સમુદાય આ સાંભળી શકે ?
જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સમુદાય એટલે શું ? એ કાંઈ ગાડરોનું ટોળું છે ? એની સામે ધર્મવિરોધી અને ગમે તેવી શુદ્ર વાતો કોઈ કરી શકે ? કરે તો એ સાંભળે ? એ તો તરત જ કહે કે-અમે કાંઈ મૂર્ખ નથી. તમારી આવી વાતો સાંભળવા આવ્યા નથી. “ફલાણા ધર્મ કેમ કરે છે ? મંદિરો કેમ બાંધે છે ? ઉપધાન-ઉજમણાં કેમ કરે છે ?' આવું આવું વિચારવા કાંઈ ભેગા નથી થયા, પણ જૈનોનું જૈનત્વ કેમ ટકે ? કેમ ઝળકે ?-એ વિચારવા ભેગા થયા છીએ. “મંદિરોમાં આટલી બધી પૂજા કેમ થાય છે ? ભગવાનને હીરા મોતીના હાર કેમ ચડે છે ? ભંડારમાં આટલા પૈસા કેમ નખાય છે ? આવું આવું બોલાય અને એ બધું બંધ કરવાનાં ઠરાવો કરાય તો શું એ વાજબી છે ? એક જણે તો એમ પણ કહ્યું કે-“દાન દેવાથી યાચકો એદી થાય છે માટે દાન ન દેવું' આ વાજબી છે ? જૈન સમુદાયે ભેગા થઈને જો આવા જ ઠરાવો લાવવા હોય તો હું પણ તેમને કહું છું કે નીચે મુજબના ઠરાવો કરો ને ?
(૧) સ્ત્રી પરણીને વિધવા થાય છે માટે પરણવું જ નહિ. (૨) મરવાનું નક્કી છે માટે કોઈ જન્મે એવું થવા દેવું જ નહિ. (૩) દેવાળું નીકળે માટે દુકાન ખોલવી જ નહિ. (૪) અજીર્ણ થાય માટે ખાવું જ નહિ. (૫) નાપાસ થવાય માટે શિક્ષણ લેવું જ નહિ. આવા આવા ઠરાવો કરશો ?
શ્રી જિનેશ્વરદેવ જેવા પાત્રાપાત્રનો વિચાર કરવાનો ઉપદેશ આપનારા પણ કહે છે કે-અનુકંપાદાનમાં પાત્રાપાત્રનો વિચાર ન કરવો. ભક્તિના પ્રસંગે