________________
૧૧ ૨ પઢમં નાણું તઓ દયાનું તાત્પર્ય -51
૧૫૧
એમ માનવું એ એક ભ્રમણા છે. પગે લગાડનારના પણ પગ અકડાય છે એમ એ સમજે છે. દીક્ષા લેવી એ કાંઈ ખાવાના ખેલ નથી. ઉઘાડા પગે અને ઉઘાડા માથે ચાલવાનું છે. કલ્પના ખાતર માની લો કે અહીં મુંબઈમાં કદાચ શીરા-પુરી મળે છે પણ બીજે શું ? આ બધું એના ખ્યાલ બહાર નથી હોતું.
સભા શ્રાવકોને વશ કરી લે એટલે ગાડી ચાલે ને ?
આ વીસમી સંદીના શ્રાવકો એમ વશ થઈ જાય એવા છે ?
721
સભા ‘મંત્ર-તંત્ર, દોરાધાગાથી વશ ન થાય ?'
એ વાતમાં કાંઈ માલ નથી. એમ છતાં કોઈ એવા હોય પણ ખરા. ગામ હોય ત્યાં ઢેઢવાડો પણ હોય. પણ એ કેટલા ? ગણત્રીના. આખા સાધુસમુદાયમાં કોઈ અપવાદરૂપ એવા પણ હોય તેથી શું ? બધા એવા હોય એ સંભવિત નથી. આજે તો કહે છે કે, જ્ઞાનગર્ભિત વૈરાગ્ય જોઈએ. તે વિના દીક્ષા અપાય જ નહિ. આવું કહેનારા પોતે જ અજ્ઞાન અને મૂર્ખ છે. જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળો દીક્ષા લે તે ઉત્તમ વાત છે. પણ બધા જ એવા હોય એમ ન બને. પ્રારંભમાં તો અસારોડયું સંસારઃ એટલું સમજે અને આ અસાર સંસારથી ઉગારનારા આ ગુરુ ભગવંત જેમ કહે તેમ જીવવું એમાં મારું કલ્યાણ છે, આટલું જ્ઞાન હોય્ તો બસ છે. આવી રીતે જ્ઞાનીની નિશ્રામાં સમર્પિતભાવ કેળવીને રહ્યા અને ઉત્તમ જીવન જીવ્યા, તેવા તો અનંતા તરી ગયા. પ્રારંભમાં દ્રવ્ય ચારિત્ર પામી ગીતાર્થ ગુરુની નિશ્રામાં સમર્પિતભાવ કેળવીને રહ્યા તો પરિણામે વીર્યોલ્લાસ પ્રગટતાં કંઈકનો ઉદ્ધાર થઈ ગયો. છયે દર્શનનું અને છયે દ્રવ્યોનું પૂરું જ્ઞાન પામીંને જ દીક્ષા લેનાર કેટલા ? ભગવાન તીર્થંકરદેવો સિવાય સ્વયં દ્વાદશાંગીના રેંચનારા શ્રી ગણધરદેવોએ પણ દીક્ષા લીધા પછી જ દ્વાદશાંગી જાણી અને રચી. ગણધરદેવને પણ ગુરુના શરણે જવું પડ્યું. ભગવાનને જોઈ ભગવત્ પ્રભાવે મને પૂર્વનું જ્ઞાન તાજું થાય છે. ભગવાનને તત્ત્વ પૂછે છે. ભગવાન પન્નેવા કહે છે. ઝટ ઉત્પન્ન થતાં પદાર્થો નજરે જુએ છે. છતાં અધૂરું લાગે છે એટલે ફરી પૂછે છે. ભગવાન વિનમેરૂ વા કહે છે. એ પણ નજર સામે દેખાય છે. તો પણ હજી કાંઈક અધૂરું લાગવાથી ફરી પૂછે છે. ત્યારે ભગવાન કહે છે વેડ્ વા. આ રીતે ભગવાનના શ્રીમુખે ત્રિપદી સાંભળતાં જ તેઓશ્રીને સમગ્ર શ્રુતજ્ઞાનનો અપૂર્વ પ્રકાશ લાધે છે અને પછી તે ગણધ૨દેવો દ્વાદશાંગીની રચના કરે છે.
આજે અહીં પહેલેથી બધું ભણેલા હોય એવા લાવવા ક્યાંથી ? વ્યવહારમાં ગમે તેવા હોશિયાર માટે પણ અહીં તો બધું નવું જ ને ? દીક્ષાને યોગ્ય સઘળું