________________
૧૦: સમ્યક્ત્વના ચોથા દોષનું સ્વરૂપ અને પરિણામ -50
જાય છે. માટે હું રડું એનું કર્મ તને. એક આત્મા સારી કરણી કરે અને બીજાને પોતાની અયોગ્યતાના કારણે એ ન ગમે. એટલા માટે ધર્માત્મા એ ધર્મસ્વરૂપ સા૨ી ક૨ણીને શું છોડી દે ?
703
૧૩૩
‘લોગ વિરુદ્ધચ્ચાઓ' – પદનું તાત્પર્ય સમજો !'
આજના લોકોએ ‘ોવિરુદ્ધશ્ચાઓ' એ પદ પોતાના બચાવ માટે શોધી કાઢ્યું છે. કહે છે કે લોકવિરુદ્ધ ક્રિયા કોઈ કાળે થાય જ નહિ. પણ જો એમ મનાય તો પહેલું લોકવિરુદ્ધ ભગવાને જ કર્યું એમ કહેવું પડે. કારણ કે લોકમાં સર્વવિરતિ કેટલાને ગમે ? અને ભગવાને તો પોતે સર્વવિરતિ સ્વીકારી અને જગતના અન્ય સર્વ યોગ્ય આત્માઓને શક્તિ હોય તો સર્વવિરતિ સ્વીકારવાનું જ ફરમાવ્યું. લોકને તો ખાવું-પીવું, પહેરવું-ઓઢવું, હરવું-ફરવું એ બધું જ ગમે. એને સર્વવિરતિ થોડી ગમે ? લોક તો વાતોનો રાગી. જે બાજુની હવા તે બાજુનું બોલે, એને કાંઈ નિશ્ચય સિદ્ધાંત ન હોય.
સભા લોક એટલે પંચ ને ?’
પંચ તો તે કહેવાય કે, જે વગર વિચાર્યે એક શબ્દ પણ ન બોલે. જેમ તેમ બોલી નાંખનારને પંચ ન કહેવાય. પંચ બધાની વાત ઠંડા કલેજે સાંભળે પણ એના પેટનું પાણી ન હાલે. એ ભલે હજારોની વાતો જાણે પણ એના હૃદયની વાત બહાર, ન જાય. આજે બધી વાત જુદી છે. જેમ તેમ વગર વિચારે બોલનાર બહુ વધી ગયા છે; પણ એ એક પ્રકારનું ગાંડપણ છે.
શ્રી શાલિભદ્રની ઋદ્ધિ જોઈને શ્રી શ્રેણિક મહારાજાએ એમનું ભોગપુણ્ય માન્યું અને શ્રી શ્રેણિક મહારાજાને પોતાના રાજા તરીકે ઓળખ્યા પછી શ્રી શાલિભદ્રે એમનું રાજપુણ્ય માન્યું. શ્રી શાલિભદ્રે વિચાર્યું કે મારે રાજા ન જોઈએ તો દીક્ષા લેવી. પણ સંસારમાં રહેવું અને સ્વામી ન જોઈએ એ ન ભૂતો ન ભવિષ્યતિ । દુનિયામાં દુર્દશાનો અભાવ હોય જ નહિ. દુનિયાના રંગરાગમાં ફસાયેલામાં નિર્લેપતા સંભવે નહિ. વસ્તુના કાર્ય કારણને જુદાં પાડો તો સાચી
વાત સમજાય.
ઘણા વિદ્યાર્થીને માસ્તર પર ગુસ્સો આવે છે. કેમ કે, એ બેસવાની અને વાંચવાની ફરજ પાડે છે. રમતિયાળ સ્વભાવના વિદ્યાર્થીઓને બેસવું અને વાંચવું ગમતું નથી. તેથી એ ફરિયાદ કરે છે કે આ શિક્ષક કડક છે માટે ગમતા નથી. પણ એ ચાલે ? જ્ઞાની કહે છે કે, એ કડકાઈનું કારણ તારો ૨મતિયાળ સ્વભાવ છે. રમત મૂકી વાંચવા-ભણવાનું ચાલુ કર તો શિક્ષણ કડકાઈ નહિ બતાવે.