________________
૧૦: સમ્યક્ત્વના ચોથા દોષનું સ્વરૂપ અને પરિણામ - 50
બાકી આજના મૂર્ખાઓની તો, પ્રશંસા જ જુદી છે. કારણ કે, આવેશમાં આવીને તેઓ કહે છે કે, ‘અમુક ગૃહસ્થ તો એવા કે સાધુથી પણ વધી જાય !' હવે વિચારો કે, આ રીતે ગુણ ગવાય અને સાધુ પણ આ રીતે ગુણ ગાય તો પેલો કદી પણ ગૃહસ્થપણામાંથી બહાર નીકળે ? નહિ જ, વળી કઈ અપેક્ષાએ ગૃહસ્થને સાધુ કરતાં વધુ કોટિમાં ગણાય ? અને જો ગૃહસ્થ, સાધુ કરતાં વધતા હોત તો તો સાધુતાની કિંમત પણ શી રહે ?' પણ આ બધું વિચારવું છે કોને ? ગૃહસ્થપણામાં પણ શ્રી તીર્થંકરદેવ જેવી વિરક્તાવસ્થા કોઈની પણ હોય છે ? નહિ જ. દેવલોકમાં પણ એ તા૨કનો આત્મા તો વિરક્ત હતો. તે ભવમાં પણ, ગૃહવાસમાં વિરક્ત હતા. છતાં પણ જ્યાં સુધી સંસાર ન તજ્યો ત્યાં સુધી એ મુનિ તરીકે ન ઓળખાયા અને શાસ્ત્ર એમને મુનિ તરીકે ન ઓળખાવ્યા. એ તારકનું જ્ઞાન ઘણું. એ તારકનો વિરાગ ઘણો, એ તારકનો ભોગવટો પણ ભોગકર્મના ક્ષય માટે, એ તારકની જિતેંદ્રિયતા પણ અજબ. કેમ કે, તીવ્ર આરાધના કરીને એ આવેલા છે. ઇંદ્રિયો પર કાબૂ એટલોં કે, દુનિયાની કોઈ ચીજ એ તારકના આત્માને ચલિત કરી શકતી નથી, કોઈ વિષય એ તારકના આત્માને આકર્ષી શકતો નથી. આવા આત્માને પણ શાસ્ત્ર ત્યાગી બન્યા વિના, સર્વ સાવદ્ય યોગના પચ્ચક્ખાણ વિના, મુનિ તરીકે ન ઓળખાવ્યા માટે પ્રશંસા કરતાં પહેલાં વિચારો કે પ્રશંસા કોની ને કેટલી હદે તથા કંઈ મર્યાદામાં થાય ?
ન
701
૧૩૧
પ્રભુશાસનનો વિવેક એ દુનિયામાં મોટામાં મોટો દીપક છે. એ દીપક, સત્ય તથા અસત્યને નિરાળાં કરીને બતાવે છે. કથનની યોગ્યાયોગ્યતાનું એનાથી માપ નીકળે છે. એ દીપક નથી માટે જ આજે કંઈનું કંઈ વેતરાય છે. એ જ કારણથી એ દીપકને પામીને અને દીપકની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી એ દીપકને પામેલાઓની નિશ્રામાં રહી અનેક પાપોની માફક આ ચોથા દોષરૂપ પાપથી પણ બચવાની અત્યંત જરૂર છે.
આપ આ રીતે વિવેકરૂપી દીપક દ્વારા સત્ય અને અસત્યને નિરાળાં કરવાનું સમજાવો છો. પણ કેટલાંક એવો આક્ષેપ કરે છે કે આપ આમ કરીને ક્લેશ વધારી રહ્યા છો. એ જ રીતે દીક્ષા સંબંધમાં પણ તેઓ એવો પ્રશ્ન કરે છે કે દીક્ષાથી ક્લેશ થાય છે તો દીક્ષા બંધ કેમ ન કરાય ?’
સભા :
ક્લેશ થાય એટલા માત્રથી સારાં કાર્યો બંધ ન કરાય !
દીક્ષાથી ક્લેશ થાય છે, તો એટલા માત્રથી દીક્ષા બંધ ન કરાય ! જગતના મોહવશ જીવોનો ક્લેશ કરવાનો સ્વભાવ છે. ધર્માત્માને ધર્મ કરતો દેખી મોહાધીન આત્માઓ ધાંધલ કરે એટલે ધર્મીએ ધર્મ ક૨વો મૂકી દેવો ? મોહની