SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ 696 ૧૨૯. સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ એટલે શક્તિ હોય તો એનું ભલું થાય એ હા, પણ મારાથી એનું ભૂવું તો ન જ થાય.” સભાઃ એ વખત પણ ગયો અને એ મુનીમોય ગયા. ભાઈ ! એ મુનીમે ગયા તો એ શેઠ પણ ગયા. કયો શેઠ નોકરની આપત્તિમાં આજે ઊભો રહે છે ? બીમાર પડે તોયે પગાર કાપે એવા પણ શેઠ છે ને? એવા પણ શેઠિયાઓ છે કે એને દેવાળું કાઢવું પડે તોયે નોકરને પોષે, પગાર ચૂકવે અને પોતાની લાચારી બતાવે. નોકર પણ પગાર ન લે અને કહે કે, “અમારો પગાર આપના દેવામાં ચૂકવો, આપની જેમ અમે પણ ગમે તેવી સ્થિતિમાં નભાવી શકીશું.” ગુણીનું ભૂષણ એ છે અર્થકામ માટે પારકાની ચિંતા જ ન કરે અને આનંદ માને એને સમ્યગુદૃષ્ટિ પણ કોણે કહ્યો? સમ્યગ્દષ્ટિનું ધ્યેય ગુણ હોય કે લક્ષ્મી ?સમ્યદૃષ્ટિ પૈસા માટે આનંદપૂર્વક ધર્મ છોડે એ કેમ બને ? પોતે ત્યાગી નથી એ સાચું, પણ છતાંય એ એવો ન જ હોય કે, પૈસા માટે ધર્મવિરુદ્ધ આચરણા કરે. ધર્મી તો કહે કે, “મને પૈસાની મમતા ગઈ નથી. પણ પૈસા ખાતર ધર્મવિરુદ્ધ તો હું ન જ કરું. આ દશા આવે તો જ ગુણ, ગુણ તરીકે દીપે. માતાની શરમ પણ યશોભદ્ર આટાનો કૂકડો માર્યો, તોયે પરિણામ ભયંકર આવ્યું ને ? સભાઃ માની આશાતના નહિ, જો ના પાડે તો ? એવી આજ્ઞામાં ના પાડે તો એ ના પાડવામાં જ માની ભક્તિ છે. પણ કૂકડો માર્યો એમાં તો માની ઊલ્ટી આશાતના છે. એના કારણે એને અને એની માને કેટલા ભવ કરવા પડ્યા અને કેવી કેવી વિડંબણાઓ ભોગવવી પડી એની તમને ખબર છે ? આથી જ કહું છું કે, વસ્તુના સ્વરૂપને સમજો. વસ્તુના સ્વરૂપને સમજ્યા વિના આ દોષથી બચવું ઘણું જ મુશ્કેલ છે અને એ દોષથી બચવામાં નહિ આવે તો પીઠમાં જરૂર કુમતની વાસનારૂપ પાણી પ્રવેશવાનું અને તે પોલી બનવાની. માટે જેઓને એ સંઘરૂપ સુરગિરિની સમ્યગ્દર્શનરૂપ શ્રેષ્ઠ વજરત્નમયી પીઠને દઢ રાખવી હોય તેઓએ શંકા આદિ દોષોથી બચવાની જરૂર છે, તેમ આ ચોથા દોષથી પણ બચવાની જરૂર છે. સમ્યકત્વ રાખવું અને આંધળા બનવું એ કોઈ પણ રીતે ઉચિત નથી. વધુ વળી હવે પછી.
SR No.005853
Book TitleSangh Swarup Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy