________________
૯ : જૈનદર્શનની સર્વોત્કૃષ્ટતા અને વિશાળતા -49
જૈનશાસનમાં- દ્રોહી તરીકે ઓળખાય છે. એવાઓને શ્રી જૈનદર્શન, અદૃષ્ટવ્યમુખ જણાવે છે. એવાઓનું દર્શન પણ અહિત કરનારું છે એમ આ દર્શન ફ૨માવે છે.
693
૧૨૩
આ રીતે જેમ આ શ્રી જૈનદર્શન, દેવતત્ત્વમાં અને ગુરુતત્ત્વમાં પોલ નથી ચલાવતું, તેમ ધર્મતત્ત્વમાં પણ પોલ નથી ચાલવા દેતું. ‘અહિંસા પરમો ધર્મ:'ની બાંગ પોકારવા છતાં પણ ઇતર દર્શનો જેમ ગૃહસ્થાવાસમાં પણ ધર્મ મનાવે છે, તેમ આ શ્રી જૈનદર્શન નથી જ મનાવતું. ગૃહસ્થાવાસને તો આ શ્રી જૈનદર્શન, નરકના પ્રતિનિધિ તરીકે જ ઓળખાવે છે અને
“વૃત્તાશ્રમસમો ધર્મો, ન ભૂતો ન ભવિષ્યતિ”
આ પ્રમાણે કહેનારાઓને ઘોર મિથ્યામતિ તરીકે જણાવે છે. આ શ્રી જૈનદર્શન, ‘સંપૂર્ણ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ' - આ પાંચે પ્રકારના મહાધર્મો સર્વવિરતિધરમાં જ સ્વીકારે છે. ‘ગૃહસ્થાવાસમાં ફસાયેલો અને એ પાંચે મહાધર્મોનું પાલન કરનારો' એવી વંધ્યાપુત્ર જેવી વાતને આ શ્રી જૈનદર્શન સ્વીકારતું જ નથી. શ્રી જૈનદર્શનમાં ધર્મ તે જ મનાય છે કે, જે હિંસક ભાવને નહિ પેદા કરતાં આત્માને મુક્તિની સાધનામાં સહાયક થાય. શ્રી જૈનદર્શન જેવું, દેવ, ગુરુ, ધર્મ અને ધર્મીનું દર્શન પણ અન્ય દર્શનોમાં નથી. એવાં દર્શનોમાં જીવાદિ તત્ત્વોનું અને ક્ષમાદિ ધર્મોનું પણ વાસ્તવિક વર્ણન ન હોય એ સહજ છે. આંથી અન્ય દર્શનોમાં ક્વચિત્ કોઈ કોઈ ગુણનું સામાન્ય દર્શન થાય છે-તે પણ શ્રી જૈનદર્શનનું જ છે.
સંપૂર્ણ દર્શન કોઈ હોય તો એક શ્રી જૈનદર્શન જ છે, કારણ કે, એ શ્રી વીતરાગ પરમાત્માનું પ્રરૂપેલું છે. વસ્તુમાત્રનું સંપૂર્ણ વર્ણન આ દર્શન સિવાય અન્યત્ર નથી જ: ઇતર દર્શનોમાં દેખાતા ગુણ શ્રી જૈનદર્શનના ગુણની દૃષ્ટિએ ક્ષુલ્લક છે. ત્યાં થોડો ગુણ પણ મહાન લાગે, કેમ કે નહિ ત્યાં થોડું પણ સુંદર જ લાગે. દસ રૂપિયાની હીરાની વીંટી સામાન્ય આદમીને સુંદર લાગે અને એ રાજી થાય, પણ ઝવેરીને એ જ વીંટી પહેરતાં શરમ આવે. પચાસ લાખની એસ્ટેટવાળાથી એ વીંટી ન પહેરાય. ભીલની સ્ત્રીઓ પિત્તળનાં ઘરેણાં હાથે તથા પગે પહેરે અને એથી તો ‘અમે મોટાં’ એમ માને પણ એ જ આભૂષણો તમે પહેરો તો ?
સભા ઃ ‘ચલાય નહિ.’
ચલાય તો નહિ પણ લોકેય હસે. જ્યાં જેની કિંમત ત્યાં તેની મહત્તા. એ