SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ દર્શનના પ્રણેતાઓ મિથ્યાત્વના યોગે નથી સમજી શક્યા. કર્મના ફલદાતા ઈશ્વરને માન્યા એટલે ઇતર દર્શનના પ્રણેતાઓ, શુભાશુભ કર્મનું સ્વરૂપ યથાસ્થિત નથી જાણી શક્યા. ઈશ્વરને કર્મોનો ફલદાતા માની લેવાની તેઓની દૃષ્ટિ એવી ઘેરાઈ ગઈ કે જેથી એ વસ્તુનો વિચા૨ ક૨વાની તાકાત પણ તેઓમાં ન રહી. એ જ હેતુથી આશ્રવ શું કે સંવર શું ? અને બંધ શું કે નિર્જરા શું ?’ એ તો એ બિચારાઓ સમજી જ નથી શક્યા. આવા આત્માઓ મોક્ષતંત્ત્વને પણ તેના વાસ્તવિક સ્વરૂપમાં ન સમજી શકે એ સહજ છે. મોક્ષતત્ત્વના સ્વરૂપને નહિ સમજી શકવાથી જ કોઈએ મુક્ત થયેલા આત્માને અજ્ઞાન આદિ માન્યા તો કોઈએ પોતાના માની લીધેલા એક જ આત્મામાં સમાવી લીધા. આમ એક પણ તત્ત્વનું વાસ્તવિક સ્વરૂપ ઇતર દર્શનોમાં નથી; ત્યારે સઘળાંય તત્ત્વોનું વાસ્તિવક સ્વરૂપ શ્રી જૈનદર્શનમાં વિવિધ રીતે વર્ણવાયેલું છે. 692 જેમ જીવાદિ તત્ત્વોનું વાસ્તવિક સ્વરૂપ શ્રી જૈનદર્શનમાં જ વર્ણવાયેલું છે તેમ દેવતત્ત્વ, ગુરુતત્ત્વ અને ધર્મતત્ત્વનું વાસ્તવિક સ્વરૂપ પણ શ્રી જૈનદર્શનમાં જ વર્ણવાયેલું છે. એ જ રીતે ધર્મ-અધર્મીનું સ્વરૂપ પણ શ્રી જૈનદર્શનમાં જ યથાર્થ રીતે મળી શકે તેમ છે. કોઈ પણ વસ્તુ એવી નથી કે જેનું વર્ણન શ્રી જૈનદર્શનમાં થયેલું ન હોય. ઇતર દર્શનોની માફક લીલા કરનારાઓને આ દર્શન દેવ તરીકે નહિ મનાવે. આ દર્શન તો તેને જ દેવ મનાવશે કે,’જે અઢારે દોષોથી રહિત હોય. ઇતર દર્શનો, જેમ આરંભાદિકમાં પડેલાઓને અને આરંભાદિના ઉપદેશકોને ગુરુ મનાવશે, તેમ શ્રી જૈનદર્શન નહિ જ મનાવે. શ્રી જૈનદર્શન તેઓને જ ગુરુ તરીકે મનાવશે કે, ‘જે આરંભાદિથી રહિત થવાનો જ ઉપદેશ આપનારા હશે.’ શ્રી જૈનદર્શન, આરંભાદિમાં સબડતા આત્માઓને સાધુ તરીકે નથી સ્વીકા૨તું. શ્રી જૈનદર્શનમાં તે જ ધર્મગુરુઓ ગણાય છે કે, ‘જેઓ સદ્ગુરુ પાસે મહાવ્રતધારી બની, તે તારકની નિશ્રામાં રહી ગ્રહણશિક્ષા અને આસેવન શિક્ષાના સ્વીકાર દ્વારા જીવનને સુવિશુદ્ધ બનાવી સૂત્ર અને અર્થના જ્ઞાતા થઈ ધર્મદેશનાનો અધિકાર પ્રાપ્ત કરે. શ્રી જૈનદર્શનના ધર્મગુરુઓ નિગ્રંથ હોઈ નિગ્રંથ પ્રવચનના જ ઉપદેશક હોઈ શકે છે. એ મહાપુરુષો મિથ્યાશ્રુતને પણ સભ્યશ્રુત બનાવીને જ અર્થીઓને આપે છે એટલે વિપરીતપણે વર્તનાસઓ એટલે શ્રોતાઓને મિથ્યાદર્શન તરફ ઢળતા કરનારાઓ અથવા તો આરંભાદિમાં યોજી સંસારમાં ૨ક્ત બનાવનારાઓ, જૈનદર્શનમાં ધર્મગુરુઓ તરીકે નથી ઓળખાતા. પણ શ્રી
SR No.005853
Book TitleSangh Swarup Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy