________________
689 – ૯ર જૈનદર્શનની સર્વોત્કૃષ્ટતા અને વિશાળતા -49 - ૧૧૯ શ્રી જૈનદર્શન જ એક સર્વાગ સત્ય છેઃ સભાઃ “જેમ જૈનદર્શન ઉત્તમ છે તેમ બીજાં પણ દર્શનો સુંદર છે, યુક્તિયુક્ત
છે, એ દષ્ટિએ એની સ્તુતિ કરવામાં હરકત શી ?” સુંદર તેમ જ યુક્તિયુક્ત જ હોય તો તો પ્રશંસા કરવામાં કશી જ હરકત નથી. પણ એવું એક પણ દર્શન હોવું જોઈએ ને ? અને જો સઘળાંય દર્શનો એવાં જ હોય તો તો એ સઘળાંય સેવવાને આપણે બંધાયેલા જ છીએ. અમુક ચીજ આપણી છે માટે સેવવી અને અમુક પારકી છે માટે ન જ સેવવી એવા આંધળા પક્ષપાતી આપણે નથી.
જૈનદર્શનને પામેલો, પોતાની મરજીમાં આવે એને જ પૂજે એમ નહિ; એણે તો ગુણવાન માત્રને પૂજવા જોઈએ. મરજી ન હોય તો પણ ગુણવાનને પૂજવાની તો એની ફરજ છે. “આંને જ માનું' એમ તો મિથ્યાષ્ટિ કહે પણ સમ્યગુદૃષ્ટિ એમ ન જ કહે. કારણ કે, આ શાસનને પામેલાએ તો યોગ્ય હોય એ સર્વને માનવા પડે. મરજીમાં આવે એને માને એવી છૂટ અહીં નથી. વધુમાં જો બધાં જ દર્શન યુક્તિયુક્ત, વાસ્તવિક અને સત્ય જ હોય તો આપણે શ્રી જૈનદર્શનના જ અનુયાયી શું કામ કહેવરાવીએ ? શા માટે સર્વ દર્શનના અનુયાયી. ન કહેવરાવીએ ? જે વસ્તુ યુક્તિયુક્ત હોય તેને ન માનવાની છૂટ સમ્યદૃષ્ટિ આત્મા લઈ શકે તેમ નથી; જો એવી છૂટ લે તો મિથ્યાષ્ટિમાં અને એમાં ફેર પણ શો ? ત્યાં કુલપરંપરાનો બચાવ ન ચાલે. કુલપરંપરામાં પણ સાચું હોય તે જ મનાય પણ ખોટું ન જ મનાય. બધાંય દર્શન જો યુક્તિયુક્તિ જ હોત તો એકાંતે ગુણના જ પૂજારી એવા આપણા પૂર્વાચાર્યો, પોતાને જૈનાચાર્યો” તરીકે ઓળખાવતાં “સર્વદર્શનાચાર્યો' તરીકે જ ઓળખાવત : પણ એમ હતું જ નહિ. એ જ કારણ કે કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા કહે છે કે, માધ્યશ્મના ડોળથી સર્વદર્શનને યુક્તિયુક્ત કહી એની સ્તુતિ કરવી એ પણ સમ્યકત્વમાં દૂષણ છે. આથી સ્પષ્ટ જ છે કે, આ વિશ્વમાં સર્વાગ સત્ય દર્શન કોઈ પણ હોય તો તે એક શ્રી જૈનદર્શન જ છે. રત્ન તો રત્નાકરનું જ ઃ
સભાઃ “આટલાં બધાં દર્શનો છે, એમાં શું જરાય સારાપણું નથી ?'
શ્રી. જૈનદર્શન સિવાયનાં અન્ય દર્શનોમાં બિલકુલ સારાપણું નથી એમ નથી જ; પણ વ્યવહાર (દુનિયા)નો નિયમ છે કે, નદી-નાળામાંથી કદી રત્ન નીકળી તો તે પણ રત્નાકરના જ ગણાય. રત્નાદિક નીકળી જાય માટે એ નદી