________________
65 – ૭ ચોથો દોષ એટલે સમ્યફ્ટનો સંહાર અને મિથ્યાત્વનો પ્રચાર-47 – ૧૦૫
કેટલાક કહે છે, કહોને કે અહીં એવો જ બીજો પ્રશ્ન થઈ શકે છે કે, દુનિયાનો વ્યવહાર પાપરૂપ લાગ્યો તો શાસ્ત્ર લખ્યો કેમ ? ઘર કુટુંબ પરિવારનું વર્ણન કર્યું કેમ? જવાબ એ છે કે, શાસ્ત્ર શું નથી કહ્યું? સાચું અને ખોટું બધું કહ્યું છે.
મન:પર્યવજ્ઞાની શું ન જાણે ? સભામાં બેઠેલાના મનમાંનું બધું ન જાણે ? જેટલું જાણે તેટલું કહે ? કહે તો પરિણામ શું આવે? અહિંસા જોય તો હિંસા શેય નથી ? શેય અને ઉપાદેય બેય શેય છે; સત્ય અને અસત્ય, અદત્તાદાન વિરમણ અને અદત્તાદાન, બ્રહ્મચર્ય અને અબ્રહ્મ, અપરિગ્રહ અને પરિગ્રહ બધું શેય છે. બધાંનું શાસ્ત્રમાં વર્ણન કર્યું છે. પણ હેયને હેય કહ્યું, ઉપાદેયને ઉપાદેય કહ્યું. ખોટાથી બચાવવા અને સાથે માર્ગે વાળવા વર્ણન તો બેયનું કરવું પડે. આમાં બધાની પ્રશંસા નથી. અભવ્યના જ્ઞાનને અજ્ઞાન અને સંયમને અસંયમ કહ્યું છે. એ સંયમના પાલનથી અભવ્ય નવ રૈવેયેક સુધી જઈ શકે. પણ એની મુક્તિ કદી ન થાય. અભવ્યને જાણ્યા પછી એની દેશના સંભળાય નહિ, એનાં વખાણ થાય નહિ ને એને સારો પણ કહેવાય નહિ. વર્તમાન સમય - મિથ્યાદૃષ્ટિની પ્રશંસા દોષરૂપ છે. ગુણને જોઈ પ્રમોદ થાય તેમાં વાંધો નથી. અયોગ્યના ગુણને મોટું રૂપક આપવાથી આજે બધી ધમાચકડી મચી છે. હજી પણ ઊંધ્યા કરશો, દુનિયાની આળપંપાળથી ઊંચા નહિ આવો, “હશે-હશે” ન કરીને ઘકેલ્યા કરશો તો પરિસ્થિતિ ભયંકર થશે. દિવસ જાય છે તેમ
પરિસ્થિતિ ભયંકર બને છે. અત્યારે એ સમય છે કે ભાગ્યવાન બચે. ભગવાન પાસે પ્રાર્થો કે એવા સંયોગ મળે કે સાધ્ય સાધી શકાય. વસ્તુસ્થિતિ બરાબર સમજાય, હૈયામાં બેસે તે છતાં પણ પ્રમાદ કરો તો તમારા જેવા કમનસીબ કોઈ નહિ. સમજ્યા છતાં વ્યવહાર. દુનિયા કે પોઝિશન પાછળ તણાઈ ધર્મ ન સેવો, શાસનસેવા ન કરો તો શાસ્ત્ર કહે છે કે કલ્યાણની કામના છે ક્યાં? વાત વાતમાં હું અને મારી પોઝિશન” કરનારને શાસ્ત્ર કહે છે કે એ ધર્મ પામ્યો જ નથી. આજે સમ્યગુદૃષ્ટિની મશ્કરી કરનારા પણ ઘણા છે. કોઈ એમને કહે કે, જૈનકુળમાં જન્મ્યા પછી આપણાથી આવી રીતે કરાય? તો તેઓ કહે કે “બેસ બેસ હવે સમ્યગુદૃષ્ટિના પૂંછડા દુનિયામાં રહીએ તો બધું કરવું પડે. આ સ્થિતિનું કારણ એ છે કે, “ધર્મને છોડીને પોતાપણાની ચિંતા ઘણી છે અને એ ધર્મને વફાદાર ક્યાં સુધી રહી શકે ? કહેવું જ પડશે કે, પોતાને માન-પાન,