________________
673 - ૭ ચોથો દોષ એટલે સમ્યકત્વનો સંહાર અને મિથ્યાત્વનો પ્રચાર-47 – ૧૦૩ પ્રા' એ વાત કબૂલ છે. વિષ્ટામાં પડેલા ફૂલને કદી લોભવશાત્ કે ન છૂટકે લીધું, સાફ કરીને ઉપયોગમાં પણ લીધું. પણ ક્યાંથી લીધું ?' એમ કોઈ પૂછે તો “જાજરૂમાંથી' એમ કહેશો ? કહેશો તો સાંભળનાર કેવા કહેશે ? તુરત જ કહેશે કે મહેરબાનીની રૂચે એ સ્થાન ન બતાવો. સાંભળનારને ફૂલની સુંદરતાની અસર ન થાય પણ બીજી અસર થાય. ખરાબ સ્થળે રહેલી વસ્તુ ગમે તેવી સારી હોય; તો પણ એ સ્થળની પ્રશંસા તો કદી જ ન થાય. એની પ્રશંસા જે કરે તે પોતાના સમ્યત્વને કલંક્તિ કરનારા છે. દુનિયામાં આવાં અનેક દૃષ્ટાંતો છે બગલાનું ધ્યાન વખાણાય ? ચોટ્ટાની સુશિયારી અને ચતુરાઈ વખાણાય ? કહેવત છે કે “શાહુકારની બે અને ચોરનારની ચાર” “ખૂનીની નીડરતા વખાણાય ? સેંકડો જીવો તરફડતાં છતાં તલવાર ફેરવે જ જાય એની હિંમત વખાણાય? હિંમત, ચતુરાઈ વગેરે છે તો ગુણ પણ અયોગ્યોમાં રહેલા વખાણાય ? નહિ જ, કારણ કે, વેશ્યાની સુંદરતા, ચોરની ચતુરાઈ અને શેઠ આદિની સફાઈ ન જ વખાણાય; કેમ કે, એ ગુણ ખરા પણ સ્થાન ખોટું છે. - સજજન જાણે બધું પણ આચરે યોગ્ય જ; જ્યારે દુર્જન જાણે બધું પણ અમલ અયોગ્યનો જ કરે. સજ્જન અને દુર્જનમાં આ અંતર છે. અયોગ્યનો અમલ કરનારના ગુણો વિષ્ટામાં પડેલા ફૂલ જેવા છે અને એ અસ્વીકાર્ય છે. આગળ કહેવત હતી, શાહુકાર ધૂળમાંથી પૈસા ન લે કેમ કે એ તો ધૂળધોયાનું કામ. તેમાં એમની શાહુકારી વખાણાતી હતી. શેઠ શાહુકારોનાં વર્ણન ગ્રંથકારે લખ્યાં તે યોગ્યતા હતી માટે. અયોગ્યની લક્ષ્મીનાં વખાણ તો મદાંધ બનાવવા માટે છે. એ જ રીતે ગુણ માટે પણ સમજવું. એ જ કારણે ઉપકારીઓ કહે છે કે શ્રી જિનાગમથી વિપરીત જેની દૃષ્ટિ તે બધા મિથ્યાદૃષ્ટિ. એમાંથી કોઈ એકને ન લેવાય. કપિલાદિ બધા કુદર્શનમાં અને જૈનદર્શનમાં સમાન ભાવ રાખવો એ સમ્યત્વનું દૂષણ છે. બધાં દર્શન જો યુક્તિયુક્ત હોય તો એક જ દર્શનનું અનુયાયીપણું કેમ પકડો છો ! જૈન જ કેમ કહેવાઓ છો ? સર્વમતાનુયાયી કહેવાઓ ને ! શ્રી હરિભદ્રસૂરિ ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી મહારાજા
મને વીર પ્રત્યે પક્ષપાત નથી અને કપિલ વગેરે પ્રત્યે દ્વેષ નથી. જેનું વચન યુક્તિવાળું છે તેને જ ગ્રહણ કરવું જોઈએ.” ૧. પક્ષપાતો જ એ વીરે, ર કેપઃ પારિપુ !
युक्तिमद्वचनं यस्य, तस्य कार्यः परिग्रहः ।।