________________
૭ઃ ચોથો દોષ એટલે સમ્યક્ત્વનો સંહાર અને મિથ્યાત્વનો પ્રચાર - 47
ન શકે. મોટી મોટી વાતોથી, કે સોનૈયાના દેખાવથી ડાહ્યો વેપારી અંજાય નહિ, “છેતરાય નહિ. પૂર્વે વસ્તુની પરીક્ષા આ ઢબે હતી.
એક દૃષ્ટાંત
671
૧૦૧
કહેવાય છે કે, ભેંસાશા નામનો મોટો શેઠ હતો. એ, એવો શ્રીમાન અને શાખવાળો હતો કે એના નામે ગમે ત્યાં જે માંગો તે મળે. એની માતા યાત્રાએ નીકળી ત્યારે સામગ્રી તો બધી લીધી છતાં માર્ગમાં ઘટે તો શું કરવું એમ પૂછતાં ભેંસાશાએ પોતાની મૂછનો વાળ આપીને કહ્યું કે, ‘તું ભેંસાસાની મા છે, આ મારા મૂછના વાળથી ગમે ત્યાં જે માંગીશ તે મળશે.' આ વાત એક બીજા માણસે સાંભળી, અને એ પણ પોતાની મૂછનો વાળ લઈને પૈસા લેવા ગયો. એણે વિચાર્યું કે દુનિયામાં મૂછના વાળના પણ પૈસા મળે છે, પણ એ અક્કલ ન રહી કે કોની મૂછના વાળના મળે ? એની કે શાખવાળાની ? એ બીજે ગામ ગયો અને મૂછના એક વાળ પર પૈસા માંગ્યા. પેલાએ એને વાંકો વાળ કહ્યો કે ઝટ એણે બીજો ચૂંટ્યો કે તરત પેલાએ તેને ઉઠાડી મૂક્યો. મૂછના વાળનો આ રીતે ઉપયોગ કરનારને રાતી પાઈ પણ ન મળે. મૂછ તો બધાને હોય છે પણ બધા મૂછાળા નથી હોતા ઃ ઘણા તો મૂછનો માત્ર ભાર જ ઉપાડનારા હોય છે.
સભા ઃ હવે તો મૂછો કાંઢી નંખાવાય છે.
એ વાત છોડી દ્યો. જેઓ મર્યાદા જ છોડે છે તેની વાત આપણે નથી કરતા. અત્યારે દુનિયાની વસ્તુઓનું વર્ણન નથી કરવું. જે આદમીને જે વંસ્તુની કિંમત નથી તેની આગળ તેનું વર્ણન એ બહે૨ા પાસે ગાણા ગાવા જેવું છે. ગુણો પણ સ્થાનમાં શોભે છે. અયોગ્ય સ્થાનમાં રહેલ ગુણ માટે હૃદયમાં ભલે આનંદ થાય પણ એ વ્યક્તિનું મહત્ત્વ ન વધારાય.
સભા: શ્રી કૃષ્ણ મહારાજે કૂતરાના દાંતનાં વખાણ કર્યાં હતાં ને ?
કૂતરું કુમત ફેલાવવા જવાનું હતું ? શાસ્ત્રમાં આવતી વાતો જે રીતે લેવાવી જોઈએ તે રીતે લેવાતી નથી, એ કારણે આવી મૂંઝવણ થાય છે. ગુણ જરૂર પ્રશંસવા યોગ્ય, ગ્રહણ કરવા યોગ્ય, પૂજવા યોગ્ય પણ અયોગ્ય સ્થળે રહેલો ગુણ પ્રશંસા યોગ્ય રહેતો નથી. હૃદયમાં ૨ખાય તો રાખો પણ વખાણ તો
ન જ કરાય.
સમ્યક્ત્વની યતના
સમ્યક્ત્વની યતનાઓમાં પણ આવે છે કે શ્રી જિનેશ્વરદેવની પ્રતિમા પણ અન્ય તીર્થકોએ ગ્રહણ કર્યા પછી ન પૂજાય કેમ કે અનેકના મિથ્યાત્વની વૃદ્ધિનું