________________
૭: ચોથો દોષ એટલે સમ્યક્ત્વનો સંહાર અને મિથ્યાત્વનો પ્રચાર “47
પ્રત્યેના રાગને ખસેડી આત્મકલ્યાણકર વસ્તુ પ્રત્યે એ રાગને કેળવવો જોઈએ. સભા ‘પછી એને નાબૂદ કરવો ?'
:
પછી તો આપોઆપ એ નાબૂદ થશે, એને નાબૂદ કરવા માટે પ્રયત્ન કરવાની જરૂ૨ જ નથી પડતી. વળાઉ એની મેળે જ પાછો જાય છે. આથી સ્પષ્ટ છે કે, સમ્યગ્દષ્ટ આત્મા રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ અને મોહ વગેરે દોષને ગુણ બનાવે છે, જ્યારે મિથ્યાદ્ગષ્ટિ આત્મા ગુણને પણ દોષ બનાવે છે.
665
૯૫
અવળી દૃષ્ટિ
વિદ્યાર્થીને શિક્ષક કહે કે, ‘બરાબર પાંચ કલાક બેસ, વાંચ અને કહું તેમ કર.’ તે વખતે અયોગ્ય વિદ્યાર્થી કહે કે, ‘અમે તમારા ગુલામ નથી, તમે અમારા પર તમારી સત્તા‘જમાવવા માંગો છો !, ત્યારે માસ્તર કહી દે કે મૂર્ખા ! સત્તા જમાવવા નથી કહેતો પણ તારામાં લાયકાત નિપજાવવા કહું છું. આજ સુધી તું રખડતાં શીખ્યો હતો, તારામાં એ કુટેવ હતી તે કુટેવ કાઢવા માટે બેસતાં શીખવી રહ્યો છું, એ કુટેવ કાઢવા માટે બેસવાની ફ૨જ મૂકું છું. મારે મારું સ્વામિત્વ જમાવધું નથી. પણ તારામાં લાયકાત પેદા કરવી છે.' પણ આ સત્યકથનને નહિ સ્વીકારતાં ઉલ્લંઠ વિદ્યાર્થીઓ, પોતાનું જ બબડ્યા કરે છે. આ જ રીતે અવળી દૃષ્ટિના ઉપાસક બનેલા અજના લોકો પણ એ જ રીતે કહે છે કે, ‘શાસ્ત્ર તથા શાસ્ત્રકારો અમારી સ્વતંત્રતા છીનવી લેવા માંગે છે, અમને બંધનમાં નાંખી રહ્યાં છે; અમારે ફાવે તો ત્રિકાલપૂજન કરીએ નહિ તો ન પણ કરીએ. સામાયિકમાં બે ઘડી શા માટે ? અમારે ફાવે તો પાંચ ઘડી બેસીએ, ન ફાવે તો એક મિનિટ પણ ન બેસીએ, પણ બંધન શા માટે ?' આવી રીતે અવળી દૃષ્ટિના ઉપાસકો, મનસ્વી પ્રલાપો દ્વારા અનંતજ્ઞાનીઓએ ફરમાવેલી વસ્તુઓને પણ વગોવી રહ્યા છે અને એથી જ જે ચીજો ગુણરૂપે છે તે પણ એમને દોષરૂપે જ પરિણમે છે.
સ્વતંત્રતાના નામે પરતંત્ર બનવાની પ્રવૃત્તિ :
સ્વતંત્ર અને સ્વતંત્રતા એ શબ્દ સુંદર છે. શ્રી જિનેશ્વરદેવો પણ સ્વતંત્રતા મેળવીને સ્વતંત્ર બનાવવાનું ફ૨માવે છે. અનાદિ કાળથી આત્મા પરતંત્ર છે એને સ્વતંત્ર બનાવવાનું શ્રી જિનેશ્વરદેવો કહે છે અને એ માટે તો મુનિધર્મને એ પરમતારકોએ મુખ્ય માર્ગ તરીકે પ્રરૂપ્યો છે. ખરેખર એ પ૨મતા૨કોએ પ્રરૂપેલું મુનિપણું એ તો સ્વતંત્રતાનો રાજમાર્ગ છે. જ્યારે મુનિપણું સ્વતંત્રતાનો