________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
હાથમાં ગયેલું અમૃત પણ ઝેર થાય છે. ખરેખર એ જ રીતિ મિથ્યાદ્દષ્ટિ આત્માઓ જ્યારે ગુણને પણ દોષ બનાવે છે ત્યારે સમ્યગ્દષ્ટ આત્મા દોષને ગુણ બનાવે છે.
૯૪
664
જે કષાયો આત્માને ડુબાવનાર છે, જે રાગદ્વેષ આત્માને ખરાબ કરનાર છે, તેને જ સમ્યગ્દષ્ટિ આત્મા સ્વ-૫૨ના ભલાના ઉપયોગમાં લે છે. ગુસ્સાથી કર્મબંધ થાય પણ વાલી મુનિએ ગુસ્સાથી તીર્થરક્ષા કરી. એમને એ ગુસ્સો કર્મક્ષયનું કા૨ણ થયો. પણ કર્મબંધનું નહિ. રાગ હાનિ કરનાર છે પણ ભગવાન શ્રી ગૌતમ મહારાજાને ગુરુભક્તિ માટે થયો. એ રાગના જ યોગે શ્રી ગૌતમ મહારાજા શાસનના શિરતાજ બન્યા. માન દુનિયાને પાડનાર છે પણ તે માને શ્રી ગૌતમ મહારાજાને શ્રી મહાવીર ભગવાન ભેટાડ્યા-પમાડ્યા; ખેદથી કર્મબંધન થાય છે. પણ તે ખેદથી શ્રી ગૌતમ ભગવાનને કેવળજ્ઞાન થયું.
પ્રશસ્ત રાગાદિની આવશ્યકતા :
‘રાગ-દ્વેષ ન જ કરાય, રાગ-દ્વેષ ન થાય એ જ ધર્મ,' એમ કોઈ કહે તો કહેવું પડશે કે એ ધર્મ આપણા માટે નથી. કષાય સર્વ પ્રકારે જાય ત્યારે રાગદ્વેષ ન થાય માટે એ જ્યાં સુધી ન જાય ત્યાં સુધી તો અયોગ્ય વસ્તુ ઉપરના રાગને ખસેડીને યોગ્ય વસ્તુમાં રાગ સ્થાપવો એ જ ધર્મ છે.
કેટલાક કહે છે કે, ‘આપણે રાગ-દ્વેષ શા ? બધા દેવ, ગુરુ, ધર્મ સરખા ! આય ઠીક અને તેય ઠીક !' પણ આમ કહેનારા ચોખ્ખા મિથ્યાષ્ટિ જ છે. આત્મા જ્યાં સુધી રાગ-દ્વેષમાં પડ્યો છે, ત્યાં સુધી સારી વસ્તુમાં રાગ અને ખોટી વસ્તુમાં દ્વેષને કેળવ્યા વિના વીતરાગ થઈ શકવાનો નથી.
કોઈ કહે કે, ‘તમે શ્રી વીતરાગની મૂર્તિ પાછળ આટલા બધા ઘેલા કેમ ?' તો કહેજો કે, ‘આજ સુધી અમે પૈસા તથા ૨મણી પાછળ ઘેલા હતા તે હવે શ્રી જિનેશ્વરદેવની મૂર્તિ પાછળ ઘેલા થયા છીએ; અમે ઘેલછાની દિશા પલટી છે. આજ સુધી બંગલા સારા બનાવવામાં ઘેલા હતા, અને હવે મંદિર સારાં બનાવવામાં ઘેલા થયા છીએ ! કારણ કે, આ રીતે દિશા પલટવા વિના શ્રેય નથી.
પ્રભુ, પ્રભુની મૂર્તિ, પ્રભુનો માર્ગ, પ્રભુનું પ્રવચન (આગમ) આ બધા પર જેને રાગ નથી, આની હાનિમાં જેનો આત્મા કંપતો નથી, આના ઉપરના આક્રમણ સમયે જે આત્માને દુઃખ થતું નથી તે વાસ્તવિક રીતે ધર્મ પામ્યો જ નથી. દુનિયાની ચીજના નાશ વખતે જેને દુઃખ થાય છે તેને ધર્મના નાશમાં દુઃખ થતું નથી. તેનામાં ધર્મીપણું હોય જ શી રીતે ? ન જ હોઈ શકે. એ જ કારણે દુનિયા