________________
663 – ૭ ચોથો દોષ એટલે સમ્યકત્વનો સંહાર અને મિથ્યાત્વનો પ્રચાર-47 – ૯૩ લેવાય? આ બધા પ્રશ્નો ઉપર ખૂબ ખૂબ વિચાર કરો તો આપોઆપ સમજાશે -કે, ખરાબ જગ્યામાં પડેલો સારો ગુણ અનુમોદાય પણ બહાર ન મુકાય; ખરાબ વ્યક્તિમાં રહેલા ગુણને ગુણ તરીકે બહાર મુકાય; પણ એ વ્યક્તિના ગુણ તરીકે બહાર ન મુકાય.” આથી સ્પષ્ટ થશે કે, “જેઓ ગુણાનુરાગના નામે ભયંકર મિથ્યામતિઓની પ્રશંસા ફેલાવી રહ્યા છે તેઓ કારમો ઉત્પાત જ મચાવી રહ્યા છે અને એ ઉત્પાત દ્વારા પોતાના સમત્વને ફના કરવા સાથે અન્યના સમ્યકત્વને પણ ફના કરવાની જ કાર્યવાહી કરી રહ્યા છે. ચોથા દોષનું પરિણામ
આ ચોથો દોષ કારમો છે, એ જ કારણે ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજા સ્પષ્ટ શબ્દોમાં ફરમાવે છે કે –
“મિથ્થામતિ ગુણ વર્ણનો, ટાળો ચોથો દોષ;
ઉન્માર્ગી ગુણતાં હુવે, ઉન્માર્ગનો પોષ.” આ કથન, ગુણરાગના નામે કારમો ઉત્પાત મચાવનારાઓ માટે ખૂબ વિચારવા યોગ્ય છે. આ કથન દ્વારા તેઓએ સમજવું જોઈએ કે, ‘ઉન્માર્ગમાં રહેલા ગુણના વખાણથી ઉન્માર્ગની પુષ્ટિ થાય છે; કેમ કે એ આકર્ષણથી બીજા એને માર્ગે જાય છે. “આવો પણ એને વખાણે છે” એમ સમજી જનતા પેલાની પાછળ ઘસડાય છે, પરિણામે અનેક આત્મા ઉન્માર્ગે ચઢે છે : માટે ગુણાનુરાગના નામે મિથ્યાદૃષ્ટિની પ્રશંસા અવશ્ય તજવા યોગ્ય છે.” પાત્રભેદે ગુણ પણ દોષ - દોષ પણ ગુણ ! • સુંદર ગુણ અયોગ્ય સ્થાને દેખાય તો હૈયામાં એમ થાય કે આ ગુણ જો - યોગ્ય વ્યક્તિમાં હોત તો પૂજ્ય બનત પણ કમનસીબી છે કે કુપાત્રમાં છે. એ
વાત તદન સાચી છે કે, સન્માર્ગમાં રહેલો આત્મા દોષને પણ ગુણ બનાવે છે, - જ્યારે ઉન્માર્ગમાં રહેલો આત્મ ગુણને પણ દોષ બનાવે છે. - સમ્યગુદૃષ્ટિ આત્મા, કષાય જેવા દોષને પણ પ્રશસ્ત બનાવી ગુણરૂપ બનાવે છે; ત્યારે મિથ્યાદષ્ટિ આત્મા ગુણને પણ ખરાબ કરે છે. સમ્યગુદૃષ્ટિ આત્મા જ્યારે ક્રોધથી પણ લાભ મેળવે છે અને માન, માયા તથા લોભથી પણ સ્વ-પરનું ભલું કરે છે એટલે કે, સ્વ-પરનો વિસ્તાર કરે છે ત્યારે મિથ્યાષ્ટિ આત્મા ક્ષમા આદિથી પણ સ્વ-પરનું અહિત કરે છે; કારણ કે, એ બિચારાને ગુણ પણ દોષરૂપે પરિણમે છે.
વૈદ્યના હાથમાં આવેલું ઝેર પણ જ્યારે ઔષધ બને છે ત્યારે મૂખના