________________
૯૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
662 યોગે દુર્ગધી શરીરવાળા છે ! જો અચિત્ત પાણીથી અંગનું ક્ષાલન કરે તો દોષ શું લાગી જાય !” “આવા પ્રકારની નિંદા કરવી.' આવા પ્રકારની નિંદા એ પણ દોષ છે. આ દોષ પણ ધ્યેયશુદ્ધિ હોય તો થવાનો સંભવ નથી. મિથ્યામતિ-પ્રશંસાનો કારમો ઉત્પાત ઃ
હવે ચોથો દોષ મિથ્થામતિઓના ગુણવર્ણનનો અને પાંચમો દોષ મિથ્થામતિઓના પરિચયનો છે.
એમાં ઘણા મૂંઝાયા છે. જો કે શંકા, કાંક્ષા અને વિડિગિચ્છામાં કમીના નથી, તો પણ વસ્તુનો વિવેક નહિ કરી શકનારાઓને આ ચોથા અને પાંચમો દૂષણમાં મૂંઝાતાં વાર લાગતી નથી.
ઘણા એવા છે કે, “TUTIનુરા'ના નામે મિથ્યાદૃષ્ટિની પ્રશંસાં” નામના ચોથા દોષમાં ફસાય છે. “ગુણાનુરાગના સ્વરૂપને નહિ જાણનારાઓ આજે કારમા મિથ્થામતિઓની પ્રશંસાને જોરશોરથી પ્રચારી રહ્યા છે અને એમ કરીને તેઓ સ્વ-પરના સમ્યત્વને લૂંટવાનો ધંધો ચલાવી રહ્યા છે. એવાઓના પ્રતાપે આજે સાચા ગુણી આત્માઓ નિંદાઈ રહ્યા છે અને દંભીઓ પૂજાઈ રહ્યા છે. એ પાપાત્માઓનો આજે ગુણાનુરાગ'ના નામે જેવો તેવો ઉત્પાત નથી મચી રહ્યો.
“ગુણીના ગુણને દેખી જેને આનંદ ન થાય તે ગુણરાગી નથી.' - આવાં વચનોનો આધાર લઈને કારમો ઉત્પાત મચાવનારાઓ એમ કહે છે કે, “જે ગુણથી આનંદ થાય એની પ્રશંસા કરવામાં હાનિ શી ?” પણ એમ પૂછનારાઓને ખબર નથી કે, “જેટલી વસ્તુ અનુમોદવા જોગી હોય તેટલી બધી જ વખાણવા જોગી નથી હોતી. જેને જોઈને હૈયામાં આનંદ થાય, તેને પણ બહાર ન કહેવાય એવી અનેક વસ્તુઓ છે.
જેટલી ચીજ અનુમોદનીય છે તેટલીની પ્રશંસા થવી જ જોઈએ એવો કાયદો નથી. ઘણાના ગુણ એવા પણ હોય છે કે, જે જોઈને આનંદ થાય પણ એને બહાર મુકાય તો મૂકનારની આબરૂને પણ બટ્ટો લાગે. ચોરનું દાન, એનાં તે વળી વખાણ હોય ? દાન તો સારું પણ ચોરના દાનની પ્રશંસા કરનારને પણ દુનિયા ચોરનો સાથી સમજે. દુનિયા પૂછે કે, “જો એ દાતાર છે તો ચોર કેમ ? જેનામાં દાતારવૃત્તિ હોય તેનામાં ચોરી કરવાની વૃત્તિ શું સંભવિત છે ? કહેવું જ પડશે કે નહિ. એ જ રીતે શું વેશ્યાની સુંદરતાનાં વખાણ થાય ? સુંદરતા તો ગુણ છે ને? વેશ્યાની સુંદરતાને વખાણનાર સદાચારી કે વ્યભિચારી? એ ગુણ ખરો પણ ક્યાં રહેલો ? વિષ્ટામાં પડેલા ચંપકના પુષ્પને સુંઘાય ? હાથમાં