________________
૭ : ચોથો દોષ એટલે સમ્યક્ત્વનો સંહાર અને મિથ્યાત્વનોપ્રચાર
વીરસં. ૨૪૫૬, વિ.સં. ૧૯૮૬, મહા સુદ-૧, ગુરુવાર, તા. ૩૦-૧-૧૯૩૦
♦ વિપરીત ધ્યેયનું પરિણામ !
♦ મિથ્યામતિ-પ્રશંસાનો કારમો ઉત્પાત :
• ચોથા દોષનું પરિણામ :
♦ પાત્રભેદે ગુણ પણ દોષ - દોષ પણ ગુણ :
પ્રશસ્ત રાગાદિની આવશ્યકતા :
• અવળી દિષ્ટ !
♦ સ્વતંત્રતાના નામે પરતંત્ર બનવાની પ્રવૃત્તિ :
♦ ગુણાનુરાગના નામે કરાતી મિથ્યામતિની પ્રશંસા
• શ્રી જૈનશાસન જ સૌથી શ્રેષ્ઠ :
• પ્રમોદ અને અનુમોદનામાં ભેદ :
પ્રમોદ ભાવના :
♦ એક દૃષ્ટાંત :
♦ સમ્યકૃત્વની યતના :
♦ અયોગ્ય સ્થાને રહેલા ગુણ :
• શ્રી હરિભદ્રસૂરિ :
♦ શાસ્ત્રોમાં અભવ્યોનું વર્ણન છે, પ્રશંસા નહિ !
♦ વર્તમાન સમય :
47
વિપરીત ધ્યેયનું પરિણામ :
સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી, શ્રીસંઘરૂપ સુરગિરિની વજ્રમયી સમ્યગ્દર્શનરૂપી પીઠની દૃઢતાનું વર્ણન કરતાં કહે છે કે, એમાં દોષરૂપી છિદ્રો ન હોવાં જોઈએ. સમ્યક્ત્વના દોષો પાંચ છે. તેમાંના પ્રથમ બે શંકા અને કાંક્ષાના સંબંધમાં આપણે મહાપુરુષોનાં વચનો દ્વારા ઘણું કહ્યું. એમાં શ્રી ઉપાધ્યાયજી મહારાજે એક બાળક પણ સમજે એવી ભાષામાં કહ્યું કે -
‘રાજા અને રંક એ બેયમાં સમભાવ ધરનાર શ્રી જિનેશ્વરદેવના વચનમાં શંકાને સ્થાન નથી, એ દેવમાં મારાપણું કે પારકાપણું કોઈ માટે નથી માટે એ કદી ફેરફાર કહે જ નહિ.’