SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ 857 – ૬ઃ સંસારના સુખ માટે ધર્મ કેમ ન થાય? - 46 – ૮૭ ન્યાયશીલતા જીવતી જાગતી છે. એ કેસમાં ધારાશાસ્ત્રીની જરૂર નથી. ગુનો થયો કે રેકર્ડમાં કેસ નોંધાઈ જ જાય. એ પૂછે નહિ. સાંભળે નહિ, સીધો જ ચાર્જ મૂકે. ટાઇમ થયો કે તરત પકડીને લઈ જાય. “જવાનો મોખ નથી કહીએ તો પણ ન જ ચાલે. અમારે આવી તકલીફમાં ઊતરવું ન પડે, અમારા પર ગુનો લાગુ ન થાય અને તમારું ભલું થાય, વળી તમને ખોટું પણ ન લાગે એવો કોઈ રસ્તો છે ? હોય તો બતાવો ! માનવજીવન જેવું દેવજીવન પણ નથી. દેવજીવનથી આ જીવન વધુ કીમતી છે. દેવોએ માણસને પૂજ્યાના દાખલા છે ને ? શ્રી અરિહતદેવ મનુષ્ય હતા. પણ દેવોએ પૂજ્યોને ? કેટલા દેવોએ પૂજ્યા ? અસંખ્ય દેવોએ ! એવા મહામૂલા જીવનમાં ફાવે તેમ વર્તાય ? ઊંચે જવું છે કે નીચે ? હું જાણું છું કે, જવું ઊંચે જોઈએ તમારી ઇચ્છા ઊંચે જવાની છે, પણ હું જોઈ રહ્યો છું કે, તમે નીચે ગબડી રહ્યા છો. માટે બૂમ મારું છું. કિનારે જઈને ગબડો નહિ તે માટે મારી બૂમ છે. બૂમ ન સાંભળે એને માટે મારી ભયંકર રાડ છે. એ રાડમાં ઉપલક દેખાતી કઠોરતા આવે છે. એ કઠોરતા તમને ખટકે છે કેમ ? જેને ખટકતી હોય તેને ભલે ખટકે અને ખટક્યા છતાંય જો પાપથી અટકે તોયે જીત્યો માનું. જેટલી વાર ખટકે તેટલી વાર પણ જો પાપ અટકે તો પણ હું મારી જાતને કૃતાર્થ માનું. જેટલું પામ્યા તેટલું તો પુણ્ય ખરું. ધીરે ધીરે આગળ વધાય. પછી તો અણીચૂક્યો સો વર્ષ જીવે. બસ, એ વિચારે હું બૂમ મારું છું. કોઈની દીક્ષા જોઈ ધર્મી ધર્મથી ખસે ખરો? - કેટલાક કહે છે કે, ત્રિકાળપૂજન કરનારા, સાધુની કાયમ સેવા કરનારા, • પર્વતિથિએ પૌષધ કરનારા, તિથિએ ઉપવાસ કરનારા, સામાયિક પ્રતિક્રમણ કરનારા પણ એક દીક્ષાના પ્રસંગે ધર્મથી ખસી ગયા. ". સભા કયો બનાવ ?” કહે છે કે, “નાનાં બચ્ચાંને દીક્ષા આપવી તે !' ખરેખર, આવી વાતો જ્યારે સાંભળવામાં આવે છે ત્યારે તેવા જીવો પ્રત્યે દયા ઊપજ્યા વિના રહેતી નથી. બીજાની દીક્ષા જોઈને ધર્મથી પતિત થનારા તે ધર્મી - સાચા ધર્મી હતા ? ઊલટું એમ પણ કોઈ કહેશે કે સારું થયું ! હાશ ! પ્રસંગ આવ્યો કે જેથી નંગ ઓળખાઈ ગયો ! અને સમજાયું કે, એ સંયમના રાગી નહોતા. એવાઓ પહેલાં રોજ ઉપાશ્રયે આવતા એ સાધુને રાજી કરવા કે લોકમાં ધર્મ મનાવા. જો એમ ન હોય તો કહો કે, ધર્મક્રિયા કરતા હતા એનો હેતુ શો ? બે ઘડીનું સામાયિક શા માટે ? સાવદ્ય જોગનું પચ્ચકખાણ શા માટે ? બે ઘડીનું સામાયિક કરનારને
SR No.005853
Book TitleSangh Swarup Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy