SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ 65s' – ૯ઃ સંસારના સુખ માટે ધર્મ કેમ ન થાય? - 48 – ૮૩ ડરે તે ધર્મ છે પણ ધર્મથી ડરે તે ધર્મી કહેવાતો નથી. ભવને ભયંકર માને એ સમ્યગુદૃષ્ટિ પણ ધર્મને ભયંકર માને તે તો નહિ જ. આત્માનંદી આત્માને ભવ ભયંકર અને ધર્મ ભદ્રંકર લાગે છે, ત્યારે પુલાનંદી આત્માને ધર્મ ભયંકર અને ભવ ભદ્રંકર લાગે છે. દુનિયાના જીવનમાં પૈસા પેદા કરવા માટે છોકરો ભૂખે પેટે કામ કરે એમાં મા-બાપને દુઃખ ન થાય, છોકરો કહે કે, “ભૂખે મરી ગયો તો આશ્વાસન તો આપે પણ પાછો કહે કે, “એ તો હોય' અર્થાતુ અંતરથી રાજી છે. દુનિયાની સાહ્યબી મેળવવામાં તકલીફ પડે તેમાં સાથી-સંબંધી વાંધો ન લે. કારણ કે, તેઓ તો એમાં રાજી હોય. વેપારમાં ગયેલા શેઠ મોડા આવે તો એમના માટે રાહ જોઈને સ્ત્રી ખાધા વિના બેસી રહે, પણ એને સમાચાર મળે કે, “શેઠ ધર્મના કામે ગયા હતા તો પાંચ સંભળાવે. ધર્મક્રિયા માટે કોઈ તપ કરતો માલુમ પડે તો કહે કે, “ઘેલા ! કરે તેને હાથ જોડીએ ! પણ આપણે એ હોય ? વિચારો કે, આ કેવી મનોદશા છે ? ભવાભિનંદીનો એ ગુણ છે કે, તેને ભવની ક્રિયા મીઠી લાગે અને ધર્મક્રિયા કરડી લાગે. સ્કૂલમાં શિક્ષક મારે ત્યાં રાજી થાય પણ પાઠશાળાનો માસ્તર મારે તો કહી આવે કે, “નહિ મરાય ! એ ભણવા અમારાં છોકરાં નવરાં નથી !” . . . સભાઃ ‘સાહેબ ! સામાયિક પ્રતિક્રમણાદિના ભણતરમાં રોટલા ઓછા જ છે ? આ વ્યવહારુ ભણતરમાં તો રોટલા છે ને ? - વારે, તો કહો કે, “રોટલા માટે હોય તે જરૂરી અને આત્મા માટે હોય તે * જરૂરી નથી, એવી ભાવનાવાળો સમ્યગ્દષ્ટિ કે મિથ્યાદૃષ્ટિ ? આવા ‘આત્માઓને પેઢીનો ટાઇમ નિયત, પેઢીની કાર્યવાહી બધી નિયત, માત્ર સાંધા અને વાંધા બધા અહીં જ ! કેટલાક કહે છે કે, “અમને ટોણા મારે છે ! આ “વીસમી સદીમાં આવા પ્રવૃત્તિમય જમાનામાં દેરા ઉપાશ્રયનો ટાઇમ કાઢીએ એ કાંઈ ઓછું છે ?” આ મનોવૃત્તિ આજે છે. હું એવાઓને પૂછું છું કે, તમે જીવનની કિંમત સમજો છો કે નહિ ? આ જીવન જરૂરી કે બિનજરૂરી ? માનવજીવનની પ્રશંસા શા માટે ? જ્ઞાનીએ દેવજીવનનાં નહિ અને માનવજીવનનાં અનેક પ્રકારે વખાણ શા માટે કર્યો? શરીર તો દેવતાનાં દિવ્ય છે અને અહીં તો હાડ ગામના કોથળા છે. શક્તિ પણ દેવતાની અચિંત્ય છે છતાં માનવજીવનને શાસ્ત્ર કેમ વખાણું ? માનવજીવનની દશ દૃષ્ટાંતે દુર્લભતા ઘણીવાર સાંભળી ગયા હશો, પણ ભૂલી
SR No.005853
Book TitleSangh Swarup Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy