________________
m
– ૭ : જેને સાધુપણું ગમે તે સંઘ - 7 – ૭૭ (જૈન સંઘ તરીકે) જીવવાનો હક્ક જ નથી. શ્રી જિનેશ્વરદેવરૂપ સૂર્યના કિરણથી ખીલે તે જ શ્રીસંઘરૂપ કમળ.
જ્યાં અને ત્યાં શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા જ્યાં ન હોય, એવાને શ્રીસંઘ તરીકે માનવા કોઈપણ સજ્જન તૈયાર ન હોય, એ સહજ છે. મનઃકલ્પિત વાતો કરનારાઓને પોતાની જાતને માને, તેને શ્રીસંઘ તરીકે સૂચના કે સલાહ આપવાનો જરા પણ અધિકાર નથી. કારણ કે તે તેમ કરવા માટે લાયક જ નથી. - તમે ભમરારૂપ બનો તો શ્રીસંઘમાં તમારું સ્થાન, કાગડારૂપ બનો તો નહિ. કમળ પર કાગડા આવે તો ચાંચ મારે, તેનાથી રક્ષણ તો કરવું પડે. એવી સામગ્રી પણ રાખવી પડે, કે જેથી એની ચાંચ બુઠ્ઠી થાય પણ કમળને નુકસાન ન થાય. ઉત્તમ વસ્તુનો નાશ કરવા કાગડા તો કા...કા.. કરી મૂકે; કોઈ ગાંડો ‘મેં શ્રાવકને કાગડા કહ્યા–એમ ન માની લે : હું તો “કાગડા ન થવું જોઈએ” – એમ કહું છું. હું તો એમ ઇચ્છું છું કે તમો સૌ કમળ થાઓ ! છો તૈયાર ? જો કમળ ન બનાય તો ભમરા બનો પણ કાગડા તો ન જ બનો, એમ કહું છું. આવી સામગ્રી મલ્યા છતાં ભમરા બનવાને બદલે કાગડા ન બનાવાય, એમ હું ચેતવું છું. આચાર્યરૂપી કમળ લોકની શી ચિંતા કરે ?
શ્રીસંઘરૂપ નગર ધર્મીને રહેવા માટે લાયક છે. ધર્મનો અર્થ જ શ્રીસંઘરૂપ નગરમાં રહેવાને લાયક છે. શ્રીસંઘરૂપ ચક્ર સંસારનો છેદ કરવા સમર્થ છે. શ્રીસંઘરૂપ રથ સંસારરૂપ અટવીમાંથી પાર ઉતારવા સમર્થ છે અને શ્રીસંઘરૂપ કમળ એ મસ્તકે ચઢાવવા લાયક છે. કેવાં મજેનાં રૂપક છે ! આચાર્ય ભગવાનું કમેળરૂપે છે. એ પણ જો શાસ્ત્રને બાજુએ મૂકે, તો એ પણ કમળરૂપ નથી ! કર્મરૂપ કાદવમાં એ રગદોળાઈ ગયેલ છે !!! એ શાસનમાંથી દૂર થવાને લાયક છે !!! અને જો તે સીધેસીધા દૂર ન થાય તો શક્તિ અજમાવીને પણ દૂર કરવા યોગ્ય ગણાય એમાં કશી જ શંકા રાખવી નહીં. - “જિનેશ્વરદેવ તો પચીસસો વર્ષ પહેલાં થયા છે : એમની વાત અત્યારે ચાલે ? એ તો ત્યાગ કહે, પણ બધું જોવું જોઈયે.' - એવું કહેનાર શ્રી જિનેશ્વરદેવના શાસનમાં શ્રીસંઘરૂપ કમળની કોટિમાં નથી. જેને ત્રિકાળવંદન કરીયે, તે જો શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા (તજ) ન સહે, શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાઓને પ્રકાશમાં મૂકવાને બદલે આખું જગતું જેમાં ફસી રહ્યું છે એજ પાઠ જગતને ભણાવ, તો તેવાઓને શ્રી જિનેશ્વરદેવના સંઘમાં કમળ તરીકે ઓળખાવી શકાતાં નથી ! ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ તો શ્રી