________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
તીર્થંકરદેવની સાથેની સરખામણીમાં આચાર્યને નવ રીતે ઓળખાવ્યા છે, એ પણ પ્રસંગે કહેવાશે.
.૭૮
78
આચાર્ય લોકની ચિંતા ન કરે. ‘આણે ખાધું શું ?, પીધું શું ?, પરણેલો છે કે કુંવારો ?’ એવી ચિંતા ધર્મગુરુથી ન થાય. ધર્મી બનાવવાની ચિંતા કરવી, એ લોકચિંતા નથી પણ શાસનની ચિંતા છે. બંગલા, બગીચા, હવેલી તથા દુકાનની ચિંતામાં સ્વપરનું કાંઈ ભલું નથી, પણ ઊલટો નાશ છે. ‘મોટરમાં બેસનારા પણ જિનમંદિરે પગે ચાલીને આવે, છ'રી પાળી તીર્થયાત્રા કરે, પર્વતિથિએ પૌષધ કરે અગર વેપાર તજી ધર્મ સાંભળે’-આવું આવું આચાર્ય કહે..‘આવાં શેઠ મોટરમાં ન બેસે તો કોણ બેસે ? એ બે સ્ત્રીઓ ન પરણે તો કોણ પરણે ? - શ્રાવકનો દીકરો હોટલમાં જાય તો બગડ્યું શું ? - સામાયિક-પડિકમણું ન થાય તો વાંધો શો ? વ્યાખ્યાનમાં ન અવાય તો પણ શું ? વેપા૨માં આગળ વધો, ડીગ્રીધર બનો, એમ.ડી.એમ.એસ. અથવ્રા બારએટ લો બનો.’ આવું કહેનારા સાધુ હોય તો એ સાધુ નથી પણ વેવિડંબક છે. આથી જ ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા શ્રી સંબોધ પ્રકરણમાં ફ૨માવે છે કે :
-
“ચિંતફ ન જોખ્ખું"
“લોકના કાર્યની ચિંતા કરે નહિ.” અસ્તુ.