________________
૭૬
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ – - 76 - હવે એ તો સ્પષ્ટ થઈ જ ગયું કે-મુનિવરોના નાયક રૂપે વિરાજતા આચાર્ય, એ જ કમળ તરીકે મુખ્ય રીતે આવી શકે છે. કમળ નાળ ઉપર જ રહી શકે. નાળના બળે જ કમળ પાણીની બહાર આવી શકે છે. શ્રીસંઘરૂપી કમળની નાળ મૃતરૂપ રત્ન છે. શ્રતરત્નરૂપી નાળ વિના શ્રીસંઘરૂપ કમળનો પ્રાદુર્ભાવ જ નથી. શ્રતરત્નના ટકાવ ઉપર જ શ્રીસંઘનો ટકાવ છે. શ્રીસંઘરૂપ કમળની શ્રતરત્ન રૂપ નાળ અખંડિત જ રહેવી જોઈએ. જેને શ્રતરત્નની કિંમત સમજાય તેને બીજા રત્નની પરવા નથી. બીજાં રત્નો તો મારી નાખે અને આ રત્ન સાચું જીવન સમર્પે.
આ શ્રતરત્ન તો સાવધાન રાખે અને સાથે આવે. પેલાં રત્નો તો બેભાન બનાવે અને સાથે ન આવે. દુનિયાનાં રત્નોમાં લુંટાવાનો ભય, કારણ કે એને ચોરનાર ચોટ્ટા ઘણા. આ રત્નને કોઈ ન લૂટે અને જે લૂંટે તે પણ ન્યાલ થઈ જાય. આથી શાંતિદાયક રત્નો આ ! તમારાં રત્નો તો અશાંતિના ઉત્પાદક અને પંચેન્દ્રિયને એકેન્દ્રિય જેવા બનાવે એવાં !! શાશ્વત સુખના સ્વામી બનાવે એવાં રત્નોની સેવા કરો, કે જેથી આત્મા કર્મરૂપ પંકથી લેપાય નહિ અને સંસારમાં રખડે નહિ.
મૃતરૂ૫ રત્નનો સેવક પાપથી ડરે : કર્મરૂપ કાદવથી ડરે : એમાં પગ ન નાખે. શ્રતરત્ન, એ શ્રીસંઘરૂપ કમળનું નાળ છે. પંચમહાવ્રતરૂપ સ્થિર કર્ણિકા શ્રીસંઘરૂપ કમળને હોય અને વચ્ચે ઉત્તર ગુણરૂપ કેસરા હોય; એ કમળ શ્રાવકશ્રાવિકારૂપી ભમરાથી વીંટાયેલું હોય. ભમરા તો કમળનો રસ લે. એ સિવાય એને બીજો અધિકાર નથી. સાધુ ઘણા તેમ એને તો સારું કે-ઠામઠામ ઉત્તમ કમળની પ્રાપ્તિ થાય. જે એ શ્રીસંઘરૂપ કમળની પાછળ ફરે નહિ, તે શ્રાવક નહિ ! જે એ કમળને ઇચ્છે નહિ અને તેની વૃદ્ધિને આડે આવે તથા તેને જોઈને પણ નાક મરડે, એ શ્રાવક નહિ. શ્રાવક રૂપ ભમરાઓ તો શ્રીસંઘરૂપ કમળની આસપાસ ગુંજારવ કરે. પણ કાકારવ ન કરે, ભમરા જ્યાં ગુંજારવ કરે ત્યાં આનંદ હોય. દૂર ઊભેલાને પણ ત્યાં દોડી આવવાનું મન થાય. શ્રીસંઘકમળ શ્રી જિનસૂર્યના તેજથી જ ખીલેઃ
હવે એક મુખ્ય વાત રહી. કમળ ખીલે ક્યારે ? શ્રી જિનેશ્વર દેવરૂપ સૂર્યના તેજથી સ્પર્શાઈને જ ખીલેલું એ કમળ હોય. સૂત્રકારે કાંઈ પણ બાકી રાખ્યું છે ? શ્રીસંઘરૂપ કમળ ખીલે છે, તે શ્રી જિનેશ્વરદેવરૂપી સૂર્યના કિરણથી, શ્રી જિનવાણીથી. ગૃહસ્થોથી જીવે છે કે ખીલે છે, તેમ ન માનતા. તમે પોતે એના આધારે જીવનારા છો. એ હોય તો જ જીવી શકો. એના વિના