________________
૭ : જેને સાધુપણું ગમે તે સંઘ - 7
૭૫
અને કલ્પ્ય હોય તો લે. મળે તો સંયમપુષ્ટિ, ન મળે તો તપોવૃદ્ધિ. કોઈ ધક્કો મારે તો ‘તારું’ પણ કલ્યાણ થાઓ’-એમ કહીને પ્રસન્ન ચિત્તે પાછા ફરે. આવા તા૨ક મુનિવરોને ભારરૂપ કહેનાર જ ભારરૂપ છે. સ્વાર્થીઓને વધારવાની ભાવના, એ જ અધોગતિની નિશાની છે.
75
પોતાના પગ ઉપર ઊભા રહેનારા ઊભા કરવા માગતા હોય, તેઓએ સમજવું જોઈએ કે-પગભર ઊભું રહેનારું જીવન એ જૈન મુનિ જેવું દુનિયામાં અન્ય કોઈનું પણ જીવન નથી. ખરેખર, કોઈ પગભર હોય તો એક જૈન મુનિ જ છે, એવું જગતના ચોગાનમાં સાબિત કરવા હું તૈયાર છું. આ મુનિવરની વાત છે હોં ! મુનિના વેષમાં પતિત હોય તેની વાત નથી. મુનિવેષમાં છુપાયેલા કોઈ અનાચા૨ીની આ વાત નથી. જે મુનિપણામાં છે, એવા જૈન મુનિ જેવા પગભર આ દુનિયામાં બીજા કોઈ શોધ્યા પણ મળે તેમ નથી.
સભા એમ કંહે છે કે-‘માગીને ખાવું છે, છે કંઈ ફીકર ?’
ન
જૈન મુનિનો ભિક્ષાધર્મ જુદા પ્રકા૨નો છે. એ તો ધર્મલાભ દે. સામો ભિક્ષા દે તો લે, નહિ તો પ્રસન્નતાથી ચાલી નીકળે. મેં કહ્યું તેમ મળે તો સંયમપુષ્ટિ માને અને ન મળે તો તપોવૃદ્ધિ માને. જરા પણ દીનતા ન આણે. જૈન મુનિની ભિક્ષાવૃત્તિ ઉચ્ચ કોટિની છે. શ્રી જિનેશ્વર દેવના મુનિનું જીવન દુનિયામાં શોધ્યું મળે તેમ નથી. એમાં આડખીલી કરવી, એના જેવી બીજી એક પણ અધમતા નથી. સાધુની સંખ્યા જો સારા પ્રમાણમાં થાય, તે કેટલાક મૂર્ખાઓ એ પોતાને માટે ત્રાસરૂપ સમજે છે; કારણ કે-સાધુઓ વિષયકષાયની સામગ્રીથી દૂર હોવાનો ઉપદેશ આપનાર છે. તેઓ કેવળ ધર્મના જ પ્રખર પ્રચારક છે. ધર્મ બધી સંસા૨વાસનાઓ ઉપર અંકુશ મૂકે છે. કર્મના બંધનમાં પડેલા બધાને બહાર કાઢવા, એટલે કે-મોક્ષે પહોંચાડવાની ઇચ્છા એ સાધુ પુરુષોની છે; અને એ ભાવના શ્રી જિનેશ્વરદેવના શાસનના અનુયાયી તરીકે છાજતી છે.
- અહીં મુદ્દો એ છે કે-કાં તો તમે કમળ બનો, કાં તો ભ્રમર બનો. બેય ન બનો તો કહું છું કે તમારું કમભાગ્ય છે. શ્રી સંઘરૂપી કમળ કર્મથી પેદા થાય અને ભોગરૂપ પાણીથી વધે, પણ ૨હે ક્યાં ? બહાર. સંઘરૂપ કમળ એટલે સાધુઓ અને તેમાં પણ સ્વામીપદે વિરાજતા આચાર્યદેવ, એ ભ્રમરૂપ શ્રાવકજનોને તો જોઈએ જ ? કમળ વિના ભમરો જીવે શી રીતે ? એ કાંઈ ઓછા જ વિષ્ટા આદિને ચૂંથે ? ભમરા માટે તો કમળ જ જોઈએ. ઉત્તમ કમળના અભાવે સામાન્ય કમળ, છેવટે ફૂલ તો ખરું. જે ટોળું કમળને ઉખેડે એ સંઘ કહેવાય ? નહિ જ. ભ્રમરો કમળનો રસ પીએ, પણ કમળને ખરાબ કરવાનું કામ ભ્રમરોનું તો નહિ જ.