SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ : જેને સાધુપણું ગમે તે સંઘ - 7 જિંદગીથી જે માથા ઉપર અસ્ત્રા ફેરવાવો છો, તે માથા ઉપર જ્ઞાનીનો હાથ ફેરવાવવામાં શું પાપ છે ? બધે કર્મ માનો અને દીક્ષામાં ન માનો, તો કહો કે, કર્મ ઉપર શ્રદ્ધા જ નથી. દુનિયા બધી જેમાં ફસી છે, એમાંથી કોઈ પુણ્યાત્મા ખસે તો એનું એ સદ્ભાગ્ય, એમ માનવામાં વાંધો શો છે ? કોઈ રાજા થાય, એમ.ડી. થાય, બૅરિસ્ટર થાય, તો ત્યાં સદ્ભાગ્ય માનીને વખાણ કરે અને કોઈ પુણ્યવાન સાધુ થાય, એમાં ‘આ શું ?’ - એવો ઘોંઘાટ કેમ ? કોઈ ગ્રેજ્યુએટ થાય, ઉજાગરા કરીને-ક્ષયને આમંત્રીને પરીક્ષા પાસ કરે, એના માટે ખૂબ પ્રશંસા ! ડીગ્રીધરોનાં લીસ્ટ વાંચીને ‘આ આટલા થયા અને આ આટલા થયા’એમ બોલનારને પૂછો કે-એ બધા ક૨શે શું ? સભા સાહેબ ! કેટલાક કહે છે કે, આપની આવી વાતોથી જૈનો રિબાઈ રિબાઈને મરી જશે ! 73 ૭૩ હું કહું છું કે-આવી વાતોથી કોઈ મરે જ નહિ. રિબાઈ રિબાઈને તો તે મરે, કે જેઓ અર્થ-કામ માટે હાયવોય કરે. જૈનો જન્મીને ન મરે પણ સાધીને મરે. હાય બાપ કરી, મારું ઘર-મારી સ્ત્રી વગેરે ‘મારું મારું કરી મરે, એ જૈન નથી. ‘નાસ્તિ મમ જિશ્વિત્' એ ભાવનાએ મરે એ જૈન. આ દુનિયામાં એવો કોઈ નથી કે જે મરજી મુજબ વર્તે. કોઈ જન્મે, કોઈ મરે, કોઈ રોગી થાય, કોઈ ભિખારી થાય, કોઈને ક્ષય થાય કોઈનું હાર્ટફેઈલ થાય, કોઈ બદમાશ-લુચ્ચા અને જુગારી બને, કોઈ ચોર-લૂંટારા અને નાદાર બને અને કોઈ અનાચારી થાય છે, ત્યાં કોઈનો પોકાર નથી, પણ ‘ફલાણાએ દીક્ષા લીધી કે લે છે’-એમ સંભળાય કે તરત દયાળુ દેવતાઓ આકાશમાંથી ઊતરી પડે, ફાવે તેમ લખે, આમથી તેમથી ખેંચી તાણીને બનાવટી કલંકો ગોઠવે. એવી ભયંકર વાતો લખે કે-જેના જેના માટે લખે તેના ગામનાને તો એવી કાંઈ ખબર પણ ન હોય. નામ ‘કલ્પિત કથા' રાખે. આદમીને પશુ લખે અને પશુને આદમી બનાવે. ઇતિહાસ કે શાસ્ત્રના પ્રમાણ વગરનું મનગમતું લખાણ, ને બચાવ પણ કે મજબૂત કે-કલ્પિત કથા લખી હતી. આ દશા આજની છે. તમે એમ માનો છો કે-બૅરિસ્ટરો વગેરે જેમ વધે તેમ જગતનો ઉદય છે ? માત્ર પેટ ભરવાની કેળવણીથી જગતનું કલ્યાણ થયું નથી, થતું નથી અને થવાનું નથી એ નિશ્ચિત છે, એમ હું કહું છું. કર્મની થીયરી સમજનારાની સ્થિતિ કેવી જોઈએ, તે સમજાવું છું. સાધુ એવી કઈ ભયંકર વસ્તુ છે, તેનાથી એવો કયો નાશ થવાનો છે, કે જેથી એની સામે પોકાર ! નવી વસ્તુ માટે જ પોકાર-એમ નિર્ણય હોય તો સંખ્યાબંધ નવા ડીગ્રીધરો બને છે, ત્યાં કરો પોકાર ! અને પોકાર ન
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy