SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ કાકારવ ન કરે, કમળમાંથી રસ લઈ જાય, પણ કમળને કરમાવે નહિ. કર્મને માનનારા આત્માઓ બધે કર્મ માને અને સાધુ થાય ત્યાં ન માને એમ બને ? કાણો, કૂબડો કે કોઢિયો થાય ત્યાં કર્મ માને, પણ કોઈ સાધુ થાય ત્યાં ભોળવણી માને ? આ તે કર્મને માન્યું કહેવાય કે કર્મની મશ્કરી કરી કહેવાય ? જેવું ત્યાં કર્મ માને, તેવું અહીં કેમ ન માને ? કર્મના યોગે સંસાર છે-મરજીથી નથી. મરજી તો આખી મુંબઈના માલિક થવાની હોય, પણ કોઈ ઊભા પણ રહેવા દે તેમ નથી. પોતાની મરજી મુજબ ચાલી શકે તેવી વ્યક્તિ દુનિયામાં કોઈ હોય તો બતાવો ! મરવાની મરજી કેટલાંને હોય ? અને મરે છે કેટલાં ?? ૭૨ 72 સભા : આપઘાત કરે તે તો મરજીથી ને ? એ પણ જરા આપઘાત કરનારને પૂછો તો ખરા ! રોઈરોઈને, બળી બળીને આપઘાત થાય છે. કમાડ વાસીને આપઘાત કરનારની દશા તો તપાસો ! અનિચ્છાએ પણ મરવું પડે છે. લાખ્ખો જાય, એવી મરજી કોઈની હોય ? ન હોય. પણ કૈંકના જાય છે ને ! મરજી મુજબ વર્તી શકે એવું દુનિયામાં કોઈ નથી. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાનું પાલન ધારે તો મરજીથી થાય તેમ છે. લાખ્ખો સંબંધીને પણ મરજીથી છોડી શકાય છે. પકડી રાખનારા પણ છોડી છોડીને ગયા. દીક્ષા લેનારા મરજી મુજબ ચાલનારા સ્વતંત્ર કે તમે ? સાચા સ્વતંત્ર કોણ ? સંયમમાં સ્વાતંત્ર્ય છે. કર્મની પરતંત્રતા છોડાવનારું ઉત્તમ સાધન દીક્ષા છે. કોઈ સંયમ લેવા જાય, ત્યાં પુણ્યશાળીથી આડખીલી ન થાય. કમળ જેવા સંઘની ઉત્પત્તિ કમળરૂપ કાદવથી અને વૃદ્ધિ ભોગરૂપ જળથી, પણ કમળ રહે બેયની ઉપર : અંદર ને અંદર રહે તો એ કમળ કમળ નહિ, અંદર અથડાય, સડે એ કમળ નહિ, અધ્ધર રહે એ કમળ. કાદવમાં જ રહે, એ કીડા. અમે ઇચ્છીએ કે, તમે કીડા ન રહો. કાં કમળ બનો, કાં ભમરા બનો. આજે તો કહે છે કે, ‘અમને બહાર કેમ કાઢો છો ?’ તમારે બહાર નીકળવું નથી અને અમારે બહાર કાઢવા છે એ માટે આ બધી મહેનત છે. કમળ કાદવમાંથી ઉત્પન્ન થાય, પાણીથી વધે, પણ રહે તો બહાર જ. આપણી બધાની ઉત્પત્તિ કર્મ૨જરૂ૫ પાણીના સમૂહમાંથી ! આત્મા ઉપર કર્મ લાગેલાં ન હોત તો આપણે અહીં ન હોત ! જન્મ, મરણ-એ બધું કર્મ છે માટે છે ને ? જન્મે, મરે, ત્યાં કર્મથી થયું એમ માને; ત્યાં ફરિયાદ નહિ, દારિત્ર્ય આવે ત્યાં ભાગ્યને ભળાવે, પણ ફરિયાદ નહિ, તાવ આવે, શ્વાસ ચડે, મરવા પડે, ત્યાં ફરિયાદ નહિ. રાજ્ય જાય, ભટકતા જાય, ત્યાં ફરિયાદ ન કરે. કપાળે હાથ મૂકે, માત્ર કોઈયાગી થાય ત્યાં ફરિયાદ, ત્યાં કર્મ નહિ ! કહો, આ કઈ દશા ?
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy