________________
૭ : જેને સાધુપણું ગમે તે સંઘ - 7
૭૧
ગુમાવે ત્યાં, માંદો પડે ત્યાં, કોઢાદિક રોગ ઉત્પન્ન થાય ત્યાં, લક્ષ્મી આવે કે જાય.ત્યાં, અકસ્માત થાય ત્યાં, આગ લાગે ત્યાં, બધે જ કર્મ માનો; પાંચ જન્મે અને પાંચ મરે ત્યાં કર્મ માનો; તાજો પરણીને ઘેર આવે અને મરી જાય ત્યાં કર્મ માનો; અને કોઈ દીક્ષા લે ત્યાં કર્મ ન માનો એમ ?
71
દીકરીને પરણાવનાર બાપ જમાઈને એમ કહે ખરો કે-મરવું હતું તો પરણ્યો શું કામ ?' સસરો એ મડદા ઉપર ફરિયાદ કરે કે નહિ ? કહોને કે-નહિ જ ! તો પછી બત્રીસ ક્રોડની વસ્તીમાંથી બાર મહિને બે, પાંચ કે પંદર આત્માઓ સંયમ અંગીકાર કરનાર નીકળે, તેની સામે ‘પાછળ આ છે અને તે છે, એને મૂકીને સંયમ લે કેમ ?' આ જાતની બુમરાણ શા માટે ? શું જન્મીને મરી જનારા બધા વાંઝિયા મરે છે કે પાછળ મૂકીને ? મરવું છે, એ જો નક્કી છે તો એ બૂમ મારનારા કુટુંબ ઊભું કાં કરે છે ? ઘણાઓ કુટુંબ મૂકીને મરી ગયા, મરી જાય છે, એ નજરેભાળે છે, છતાં આંધળા થઈને કુટુંબને ભેળું શું કામ કરે છે ? ત્યાં તો કહે છે કે-‘ભેળું તો ક૨વું, પછીની વાત ભાગ્યના હાથમાં !'
કર્મને માનનારાની દશા કઈ હોય તે સમજાવો ! કર્મથી જ્યારે બધી વાત કબૂલ રાખો છો, તો સમયનો સ્વીકાર પણ શુભોદયથી થાય છે, એ માનવામાં વાંધો શો ? રોગી બને તે કર્મથી, સુખી-દુ:ખી કે પૈસાવાળો અગર ભિખારી બને તે કર્મથી, એમ માનો છો તો એ રીતે જેને મહાશુભનો ઉદય હોય, તે પ્રભુના માર્ગે જવા ઇંતજાર બને, સંસા૨માંથી બહાર કાઢનારનો સંયોગ એને સાંપડે અને એ સંસાર છોડી ત્યાગી થાય, તેની બુમરાણ કરવાનું કારણ શું ? કોઈના ભાગ્યમાં એ હોય તો એમાં વાંધો શો ?
સભા : સંસારમાંથી ઓછો થાય ને !
સંસારમાંથી ઓછો નથી થતો, પણ હજારોને સન્માર્ગે ચડાવનાર એક વધે છે. આટલું પણ જે ન સમજે, તે શ્રી જિનેશ્વરદેવના સંઘમાં રહેવા માટે લાયક નથી.’-આ એક વાત અને બીજી વાત એ છે કે ‘સંયમના પાલનથી આત્માઓ મોક્ષે જાય અને આ કારણે જો સંસારમાંથી આત્માઓ ઓછા થાય, તો તેમાં હરકત પણ શી છે ?' અનંત દુઃખમય આ સંસારથી મુક્તિ પામે એ પણ જેને ખટકે, એવા હીનભાગી આત્માઓને શ્રી જિનેશ્વરદેવના શાસનમાં એક ક્ષણ પણ રહેવાનો અધિકાર નથી, એ તો તદ્દન સ્પષ્ટ જ છે.
કાં તો તમને કમળ જેવા બનાવવા છે, અગર તો તમને ભમરા જેવા બનાવવા છે. બેમાંથી એક રૂપ ન બને એને કોઈ પણ પ્રકારે શ્રીસંઘમાં ૨હેવા માટે સ્થાન નથી. ભમરીઓનો સમૂહ કમળની ફરતો ગુંજાવર કરે, પણ