________________
૭ઃ જેને સાધુપણું ગમે તે સંઘ વીર સં. ૨૪૫૭, વિ. સં. ૧૯૮૦, માગસર વદ પક, શનિવાર, તા. ૨૧-૧૨-૧૯૨૯
કમળના રૂપકથી શ્રીસંઘની સ્તવના : ૦િ કર્મમાં માનનાર હૃદય સંયમમાં અંતરાય કરવાનું કેમ ઇચ્છે ? • સાચા નિઃસ્પૃહી તો જૈન મુનિવરો જ છે : • આચાર્ય એ કમળ છે અને શ્રાવકો ભમરા છે : • શ્રીસંઘરૂપ કમળ શ્રી જિનરૂપ સૂર્યના તેજથી જ ખીલે છે : • આચાર્યરૂપી કમળ લોકની શી ચિંતા કરે ?
કમળના રૂપકથી શ્રીસંઘની સ્તવના:
સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી શ્રી તીર્થંકરદેવ પછી તરત જ પૂજ્યપદે આવતા શ્રીસંઘની નગર, ચક્ર અને રથના રૂપકથી સ્તવના કર્યા પછી, હવે કમલના રૂપકથી સ્તવના કરતાં વર્ણવે છે કે :
જે કર્મરજરૂપી પાણીના સમૂહથી બહાર નીકળેલું છે, જેનું શ્રતરત્નરૂપ દીર્ઘ નાળ છે, જેને પાંચ મહાવ્રતોરૂપી સ્થિર કર્ણિકા છે, ઉત્તર ગુણોરૂપી જેની કેસરા છે, શ્રાવકજનરૂપી મધુકરીઓથી જે વિંટાયેલું છે, જે શ્રી - જિનેશ્વરદેવરૂપ સૂર્યના તેજથી વિકસિત થયેલું છે, અને જેનાં શ્રમણગણસાધુઓના સમૂહરૂપ હજાર પત્રો છે, તે શ્રી સંઘરૂપ પદ્મ-કમલનું ભદ્ર થાઓ !”
“શ્રીસંઘ'-એ શી વસ્તુ છે, એ સમજવા માટે આ કેવું સુંદર રૂપક છે ? . નગર, ચક્ર અને રથના રૂપક કરતાં, આ રૂપકમાં શ્રીસંઘના સ્વરૂપની ઘણી જ
સ્પષ્ટતા થાય છે. દરેક રૂપકમાં એકની એક જ વસ્તુ કેવા કેવા સ્વરૂપે ગોઠવવામાં આવે છે, એનું ખૂબ ધ્યાનપૂર્વક મનન કરવાનું છે. રૂપકોમાં બતાવેલી વિશિષ્ટતાઓ શ્રીસંઘમાં હોવી જ જોઈએ અને જો તે હોય તો હરેકને ૧. “+નનોવિનિયસ, સુરવીનાના !
पंचमहब्बयथिरकत्रियस्स, गुणकेसरालस्स ।।७।।" . "सावगजणमहुअरिपरिवुडस्स, जिणसूरतेयबुद्धस्स । संघपउमस्स भदंसमणगणसहस्सपत्तस्स ।।८।।"
- નંદિસૂત્ર