________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
- 68 ગયું છે ? એવા ચાર નંગ ન માને એની કિંમત પણ શી ? મરચાં-મીઠાંવાળાને ઝવેરાત ના ગમે, માટે ઝવેરાતની કિંમત ઓછી જ ઘટે ? ત્યાગના હિમાયતીને સંસારના પાપરસિયા માને ? જો એવાના હાથમાં રાજ્યસત્તા હોત તો માને તો નહિ, પણ ઘાણીમાંય પીલે ! પણ મારે અહીં કહેવું જોઈએ કે - એવાઓ કદાચ ઘાણીમાં પીલે, તોયે ત્યાગી “જિવાડ” એમ ન કહે. આ શાસનનો કાયદો જુદો. પીલે તે પિલાય; પિલાય તે પિલાય નહિ. પાંચસો પિલાયા તે કેવળજ્ઞાન પામી પૂજ્ય બન્યા અને પીલનારો પાલક પાપી તરીકે લેખાયો. સઝાય આવડે છે ને ?
તેલ-મરચાંવાળો રખડેલ જો કીંમતી હીરાની વીંટી પહેરે તો પણ પોલીસ પકડે કે-લાવ્યો ક્યાંથી ? એવાના ગુરુ થવું નથી. પંચક્યાસમાં મુકાવું પડે. પંચક્યાસમાં જેને મુકાવું હોય તેવા ભલે એમના ગુરુ થાય. “આચાર્યએ સાધુ નથી' - એવું કહેનારથી સાધુ તો આઘા જાય. એવાની આનંદપૂર્વક વંદના લે તે પણ સાચો સાધુ નથી. એવાઓને એવા સ્વરૂપમાં ન ઓળખાવતાં ખોટી રીતે પંપાળે, એવા સાધુમાં સાધુતા નથી. સાધુની પાસે આવીને પાપી આત્માઓ મહાલી જાય, તો માનો કે-ત્યાં સાધુતામાં પોલ છે. લક્ષ્મીવાન પણ મુનિની પાસે ઊંચી આંખે ન બેસે. મુનિપણાને તો ચક્રવર્તી પણ નમે છે. હું જે કઠોર શબ્દો કહું છું, તે જેઓ તેવા હોય તેને માટે છે. જેમાં દોષ હોય તેઓ પાઘડી પોતાના માથે લે તેનો ઉપાય શો ? એનું દુ:ખ નથી. ગભરાતો નથી : એ મારું શું લઈ જાય ? હોય તે કહેવું પડે. ઝવેરીના હાથમાં હીરો અને પથરો બે આવે, તો હીરાને હીરો કહે પણ પથરાને શું કહે ? બેયને હીરા કહે તો હું કહું છું કે – એ ઝવેરી નથી. મોતીમાં પણ જેમ કલચરને કલચર અને એબીલને એબીયલ કહો, તેમ પથરાને પથરો કહો-પણ હીરો ન કહો. કોઈ સીધો પથ્થર કહી દે, કોઈ ધીમે કહે, પણ કહે તો પથ્થર જ !
સભાઃ ન કહે એ દાંભિક ને !
તમે જાણો ! સાચો ન્યાયાધીશ વાદી-પ્રતિવાદીઓને સાંભળ્યા પછી, રેકર્ડમાં પુરાવો આવી ગયા પછી, વાદી-પ્રતિવાદીને સાચા સ્વરૂપમાં ઓળખાવ્યા વિના રહે જ નહિ. કાં તો હુકમનામું કરે; કાં તો કાઢી નાખે. હુકમનામું કરે તો પ્રતિવાદિની ટીકા કરે અને દાવો રદ કરે તો વાદિની ટીકા કરે કે-“આ દાવો બનાવટી છે.” સજા પણ કરે : પ્રતિવાદીનો ખર્ચ પણ એના પર નાખે. બધું કરે. સંઘનું સ્વરૂપ જાણનાર તો “આ પૂજ્ય છે અને આ અપૂજ્ય છે, આ આદરણીય છે અને આ અનાદરણીય છે.” એમ જેવું હોય તેવું કહી જ દે ! અસ્તુ.