________________
સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૧ પછી પુછાય કે-શાના પર જીવો છો ? આ પ્રશ્નના ઉત્તરમાં જો એમ કહે કેઆજ્ઞા ઉપર ! કદાચ આજ્ઞાને ન અનુસરાય તો પણ વિરુદ્ધ તો ન જ ઊભા રહીએ.” આમ કહે એ શ્રીસંઘ ! એને હાથ જોડાય.
પોલીસ પકડવા આવે અને એની પાસે પટ્ટો ન હોય તો જેને પકડવા જાય એ પટ્ટો માંગે, પટ્ટો ન બતાવે તો તેનો હુકમ ન સ્વીકારે, પોલીસ ફરિયાદ કરે અને સાબિત થાય કે-પટ્ટો નહોતો તો પોલીસને જ દંડ થાય અને પેલાને ઇનામ મળે. તેમ જે સંઘની પાસે ભગવાનની આજ્ઞારૂપી પટ્ટો ન હોય, તેને અહીં પણ ન મનાય. જેની પાસે આજ્ઞારૂપી પટ્ટો હોય, એ શ્રીસંઘ. જે આજ્ઞા બહાર હોય એને યોગ્ય શબ્દોથી ઓળખાવાય અને હાડકાંનો ઢગલો પણ કહેવાય. જેટલું કહેવાતું હોય તેટલું કહેવાય. જેને ભગવાનની આજ્ઞારૂપી પટ્ટાની કિંમત નથી એની સજ્જનને કિંમત શી ?
શ્રી તીર્થંકરદેવની ગેરહાજરીમાં શ્રીસંઘ તીર્થકરની જેમ પૂજ્ય જરૂ૨, પણ શ્રી જિનેશ્વરદેવે બતાવેલા માર્ગે ચાલે તો ! આ તો કહે કે-દીક્ષાનું શું કામ ? નાનાને અપાય ? આમ નહિ, ને તેમ નહિ.” આવીને શ્રીસંઘ તરીકે કેમ સ્વીકારાય ? ઠરાવમાં તો ત્યાં સુધી લાવ્યા હતા કે ત્રીસ વર્ષ સુધી દીક્ષા ન લેવાય અને ત્રીસ વર્ષ ઉપરની ઉમરવાળાની વાત પણ જુદી. એ પણ રજા લે. શાસ્ત્ર સોળ વર્ષની ઉંમર ગણી, ગવર્નમેન્ટ અઢાર વર્ષની ઉંમર ગણી અને આ બધાએ ત્રીસ વર્ષ કહ્યાં : જાણે પોતાનું જ રાજ્ય ! ધારાના અભ્યાસીઓએ પણ એ ઠરાવને કાનૂન બહાર જણાવ્યો. એની ચર્ચા પણ ન થવા દીધી. જેનો અધિકાર નહિ તેની ચર્ચા શી ?
મેં ચાર-છ દિવસ પહેલાં વાત કરી હતી કે-આ લોકો દેશી રાજ્યો તરફ ગયા, એ એક જાતની દોડ છે; ભદ્રિક આત્માઓને ભોળવવાની જાળ છે. કાયદાનું બંધારણ જુદું છે. બધાનો અભિપ્રાય સરખો છે, એમ લાગે તો ધારાથી બાધક છતાં પણ કદાચ કાયદો થઈ જાય. માટે જાગવાની જરૂર છે.
ધર્મી તો કહે કે થાય શાનું ! અમે બેઠા છીએ. એમને મન જુદાઈ છે પણ રાજ્યને જુદાઈ નથી. એ તો ઉભયને પ્રજા માને છે. એ તો એમને કહી દે કેતમારે ધર્મ ન કરવો હોય તો ન કરો : પણ કરે તેને ન રોકો !” “દાતાર-દાન કેમ છે ?' એવી ફરિયાદ કપણ કરે તો રાજા સાંભળે ? રાજા તો કહે કે, “તારું પડાવી લેતો હોય તો કહે, બાકી એના ઘરનું આપે છે એમાં તારા બાપનું શું જાય? એવા દાતારથી તો અમારા રાજ્યની આબાદી છે !” *
હવે તો આપણે રાજાઓની તથા જગતની સમક્ષ એ બતાવવું છે કે-દીક્ષા,