SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ : શ્રી જિનેશ્વર દેવની આજ્ઞા પાળે, તે સંઘ - 6 65 પ દિવસે ભાંડો ફૂટી જાય. ‘અમે સંઘ’-એમ કહેતાં જે બહાર આવે તેનામાં સંધત્વ ન હોય તો, સંઘ કહેવરાવવું તો ઘેર ગયું, પણ એ સંઘમાં રહેવા લાયક પણ નથી. એને સંઘમાં રહેવું પણ ભારે છે. કાઢ્યા વગર તે પોતાની મેળે જ બહાર નીકળી ગયેલા છે. ― ઘઉંમાં કાંકરા હોય તો વીણાય, પણ કાંકરાના ઢગલામાં શું વીણાય ? કાંકરામાંથી કાંકરા ન વીણાય. નજરે પડે તો ઘઉં વીણાય. મૂંઝાયા વિના પ્રવૃત્તિ ચાલુ રાખો. પૂરજોશથી પ્રચાર કરો. મોટા નાનાના વાદ વગર સૌ પોતાનો ફાળો આપે, તો જરૂર સુંદર પરિણામ આવે. વગર મહેનતે સુંદર પરિણામ આવે છે, તો જો આપણી મહેનત હોય, તો એવાઓને ઊભા રહેવાની પણ જગ્યા નથી. નગરમાં ચોરથી પેસાય ? ન જ પેસાય ! પણ શાહુકાર જો ઊંઘતા હોય તો નગ૨માંયે પેસે, ઘ૨માંયે પેસે અને તિજોરીનો માલ પણ લઈ જાય. જાગતા હોય તો ચોર બહાર જ રહે. ચોરનો ગુણ એ કે-પહેલાં કાન માંડે. ખાંસીનો ઠસકો આવે તો પણ હાલવા માંડે. ઘરમાં પેઠા પહેલાં ચોરને ભગાડવા માટે ઠંડો કે તલવાર ન જોઈએ; ખાંસીનો ઠસકો બસ છે. ચોરને ભડકાવવા માટે પચીસ જણનાં નામ પણ ગૃહસ્થ દે. પોતાની વસ્તુની રક્ષા માટે શાહુકાર બધું કરે. તેમ જો શાસનની રક્ષામાં તથા શાસનના પ્રચારમાં દરેકનો ફાળો હોય, તો વિરોધીને ઊભા રહેવાની પણ જગ્યા નથી. એમ ન માનો કે-દુનિયામાં બધા ધર્મહીન થઈ ગયા છે. ધર્મ માટે પ્રાણ પાથરનારા પણ પડ્યા છે. મરણ પાછળ કાગળમાં પણ લખાય છે કે-‘ધર્મ કરશે તે સુખી થશે.' મરતાને પણ ધર્મનું શરણ દેવાય છે. દરેક ધર્મશાળા સામાન્યપણે એમ જ કહે છે કે-જે ભગવાનનું નામ લીધું તે ખરું. આ હિન્દુસ્તાનમાં ધર્મ રસાતળ જાય અને સજ્જનો જુએ ? ધર્મ જાય અને સજ્જનો જીવે ? આજે તો ધર્મની વિડંબના જુએ છે, બહુ તો રૂએ અને પછી ‘કરશે તે ભરશે' એમ કહી દે. હૃદયમાં ધર્મની લગની જાગે તો તરત પરિવર્તન થાય. ઘણો વર્ગ તો એવો છે કે-જે નિંદામાં ન ઊતરે : કહે કે-ધર્મની નિંદા નહિ કરીએ. ‘ધર્મ નાબૂદ કરો’-એવું કહેનારા પામર તો થોડા જ ! આજ્ઞારૂપી પટ્ટો હોય એ શ્રીસંઘ : સંઘ કહેવરાવતા આવે તો કહેવું કે-‘અમે સંઘને હાથ જોડીએ, પણ સંઘપણાની નિશાની શી છે ?’ પૂછવું કે-‘તમે કોના ?' બાપના, ગામના, નગરના, કહે એ ન ચાલે; પરન્તુ ભગવાન શ્રી મહાવીરદેવના એમ કહેવું પડે.
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy