________________
63
•
- : શ્રી જિનેશ્વર દેવની આજ્ઞા પાળે, તે સંઘ - 6 –––
૩
સુંદર શીલસંપન્ન બને. જેઓ આજે સ્વાધ્યાયના અદ્વિતીય સાધનરૂપ શાસ્ત્રો ઉપર અરુચિવાળા થાય છે, તપ અને નિયમથી ભડકી ઊઠે છે અને શીલથી તો આઘા જ ભાગવા માગે છે, તેઓ પોતાની જાતને શ્રીસંઘ તરીકે કઈ રીતે માની કે મનાવી શકે છે? શ્રીસંઘની ગણનામાં તે જ આવી શકે છે કે-જે શાસ્ત્રો પ્રત્યે અખંડ રુચિવાળા હોઈ, સ્વાધ્યાયના રંગથી રંગાઈ ગયેલા હોય, તથા તપ અને નિયમના સેવનથી સુંદર શીલસંપન્ન બનવા માગતા હોય.
આવા શ્રીસંઘની દૃષ્ટિએ ધર્મ એ ત્રિકાળાબાધિત વસ્તુ છે. વર્ણવ્યા મુજબનો શ્રીસંઘ, શ્રી જિનેશ્વરદેવે પ્રરૂપેલા ધર્મની સેવામાં જ વિશ્વમાત્રનું હિત માને છે. ધર્મનું સેવન, એ જ સાચું સ્વાતંત્ર્ય છે. સ્વતંત્ર બનવા માટે વિશ્વ ધર્મી બનવું જોઈએ. જ્યાં ધર્મ નથી ત્યાં સ્વાતંત્ર્ય નથી. ધર્મની સામે આક્રમણ કરવાનો કોઈને પણ અધિકાર નથી. ધર્મ, એ ચીજ એવી નથી કે, જેમાં સ્વપરનું કલ્યાણ ન હોય. બીજાથી અમને અને અમારાથી બીજાને હાનિ ન થાય, એવી વ્યવસ્થા એ જ સ્વાતંત્ર્ય ને! સજ્જન જીવે ત્યાં સુધી ધર્મ જીવતોજાગતો રહે. તમે કોઈને મારો અને તમને કોઈ ન મારે, એ આશા ખોટી છે. જોર ન હોય તો સામે ન મારે, એ વાત જુદી; સામે ન મારે તો પાછળથી મારે, ઈંટ મારે, કદાચ કોઈ પણ રીતે એ ન ફાવે તો કર્મ તો નહિ જ છોડે. કોઈને પણ દુઃખી કરવાનો કોઈને જ અધિકાર નથી. મોંહનો ગુણ :
* સજ્જનને સારી ક્રિયા કરતાં જોઈ કોઈ દુઃખી થાય ત્યાં સજ્જનનો ઉપાય નથી; બાકી કોઈને દુઃખી કરવાનો કોઈને અધિકાર નથી. પણ પોતાના જ સ્વભાવથી કોઈ દુઃખી થાય ત્યાં ઉપાય શો ? એક દાન દે ત્યાં બીજો રૂએ, એમાં દાતાર શું કરે ? એ રૂએ એથી દાતાર કાંઈ દાન બંધ કરે ? જો એ જ નિયમ હોય, તો તો ધર્મનાં દ્વાર સદા માટે બંધ જ કરવાં પડે. એક આદમી મોહ તજે, એમાં બીજાને બળતરા થાય, તેમાં મોહ તજનાર શું કરે? જો ત્યાગ કરનારના નિમિત્તે એ બળતરા માનીએ અને તેથી ત્યાગ કરનારને પાપ લાગે એમ માનીએ, તો તો શ્રી તીર્થંકરદેવને પણ ધર્મ મોકૂફ રાખવો પડે. શ્રી તીર્થંકરદેવ જેવા વીતરાગના સમયે પણ કોલાહલ થતો, તો આજે ન હોય ? ભગવાન સંયમ લેવા જાય ત્યારે અભિષેક કરવા, અલંકાર પહેરાવવા. શિબિકામાં બેસાડવા બધા આવે, પણ એ અલંકારો ઉતરાવવા કોઈ ન આવે, પોતે જ ઉતારે. બધાને સંયમ કરવુ લાગે છે, એટલે મોહમાં પડેલાઓનું જિગર ત્યાં ન ચાલે, એમાં કાંઈ આશ્ચર્ય નથી.