________________
- ૫ ગુણયુક્ત સમુદાય એ સંઘ ! .5 – પામર લાલસા મૂકવી જોઈએ. તમે રોજ શ્રી વીતરાગદેવ “સમરિમર' પાસે સમાધિમરણ માગો છો ! એ શી રીતે આવે ? “આ મારું ને આ મારું” કરે એને આવે ? દીક્ષા લે એની વિરુદ્ધ પ્રલાપ કરનારને આવે ? એવાને સમાધિમરણ તો ન થાય પણ ભયંકર સન્નિપાત થાય, જિંદગી નષ્ટ-ભ્રષ્ટ થાય અને મહાપાપો બાંધે. સંયમ લેનારનું પંડિતમરણ થાય અને દેશવિરતિ શ્રાવકનું બાલપંડિતમરણ થાય.
શ્રી કુમારપાળ મહારાજાને ઝેર આપ્યું હતું; ઝેર ઉતારનારની જડીબુટ્ટી ન મળી; એ ખબર કારભારીએ શ્રી કુમારપાળને આપ્યા.
મહારાજા કહે છે કે – “મરવા પણ તૈયાર છીએ; સાધવાનું સાધ્યું છે; ન્યૂનતા કાંઈ નથી.
આજે તો તિજોરી ને વીલ-એમાંથી ઊંચા ન આવે, ત્યાં સમાધિમરણ શી રીતે આવે ? કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાના થોડા વરસના સહવાસે મહારાજા શ્રી કુમારપાળે આવી સાધના કરી. ગુરુનો સહવાસ આવો કરો, આવો મેળવો અને આવો કેળવો ! બાકી જે ગુરુ કોણીએ ગોળ લગાડે અને મંકોડા આવે તેવું કરે, એ ગુરુ નકામા. એવાના સંગથી માર્યા જશો. સાધુ તમને એમ કહે કે-“અમે ત્યાગી, પણ તમારે ત્યાગ શો ?' તો તમારી દશા ભૂંડી; કારણ કે-આમ તો પાપથી ગભરાતા પણ હતા અને તે પછી તો પાપનો ભય તજી માતેલા હાથી જેવા થાઓ. માટે જો સાધુ જો એમ કહે, તો તમારાથી પણ તે નીચા ઊતરી જાય એટલે ત્યાં ગુરુતા ટકે પણ શી રીતે ?
१. कर्तव्यं कृतमर्थना यदि विधेस्तत्रापि सज्जा वयम् ।।
- શ્રી જિનમંડન ઉપાધ્યાય કત-કુમારપાળ પ્રબંધ