________________
53 -- - ૫ ગુણયુક્ત સમુદાય એ સંઘ !.5 – ૧૩ વધારવા માટે બીજરૂપ રાગદ્વેષ જેના નાશ પામ્યા હોય તે જ દેવ ને જે નિગ્રંથ એ જ ગુરુ ! એને જ દેવ અને ગુરુ તરીકે નમીએ !! એ જ રીતે ગુણવિશિષ્ટ સંઘને જ શ્રીસંઘ તરીકે નિમાય.
સૂત્રકાર મહર્ષિએ શ્રીસંઘને નગરની ઉપમા આપી છે. નગરમાં મકાન હોય, લક્ષ્મી હોય, શેરી હોય અને એના રક્ષણ માટે ફરતો કિલ્લો હોય; તેમ શ્રીસંઘરૂપ નગર, ઉત્તર ગુણરૂપી ભવનોથી ખીચોખીચ ભરેલું છે, શ્રુતજ્ઞાનરૂપ રત્નોથી પરિપૂર્ણ છે, શુદ્ધ સમ્યગ્ગદર્શનરૂપી જેની શેરીઓ છે અને અખંડ ચારિત્રરૂપ એ નગરને ફરતો કિલ્લો છે. સૂત્રકાર કહે છે કે-એ સંઘનગર હંમેશ જય પામે એવી મનોગત ઇચ્છા છે.
પછી શ્રીસંઘને ચક્રની ઉપમા આપે છે. જેમ ચક્ર દુશ્મનને છેદે તેમ સંઘ પણ સંસારને છેદે છે, છેદવા સમર્થ છે, માટે સંઘને ચક્રની ઉપમા આપી. ચક્ર પણ શૂરવીરના હાથમાં હોય છે. સંસારશત્રુનો સંહાર કરનારાઓને સંઘ સહાયક છે; કહોને કે, સંઘ સંસારનો સંહાર કરે ! માટે શ્રીસંઘ એ ચક્ર છે, તે શ્રીસંઘને નમસ્કાર છે. તીર્થકરવત્ પૂજ્યશ્રી સંઘ તે આ. સંસારની ક્રિયાને ઇરાદાપૂર્વક પુષ્ટ થવા દે તે સંઘ નહિ, સંઘમાં ગણાતા હોય તે સંસાર સામે કરડી નજરે ભાળે. શ્રી સંઘ સંસાર તરફ કરડો હોય. શ્રીસંઘને જોઈને સંસાર મૂંઝાય. મોહરાજા ભાગાભાગ કરે. વિષયોને છુપાવું પડે, પાપપ્રવૃત્તિ શ્રીસંઘની આગળ ન ટકે. એ શ્રીસંઘને ત્રણ કાળના નમસ્કાર છે, બીજાને નહિ !
ચક્રને તુમ્બ, આરા અને ધારા હોય. તુમ્બ વિના આરા ન ટકે; આ આરા વિના ધારાની સ્થિતિ ના ટકે; ધારા વિના કામ ન થાય; આરા વિના ધારા ન ટકે; આરા વિના તુમ્બ ન ટકે, એમ પરસ્પર ટકાવનાર છે. શ્રીસંઘરૂપ ચક્રને સત્તર પ્રકારનો સંયમ એ તુમ્બ છે. સંયમ આવ્યા બાદ દુનિયાનું કયું પાપ બાકી રહે ? જીવઘાત, મૃષાવાદ, ચોરી, મૈથુન અને પરિગ્રહ એટલે ધન-ધાન્ય ઘરબાર વિગેરે. એ બધાથી વિરામ પામવું તે પંચાઢવ વિરમણ. એ વિરામ ટકે માટે પાંચ ઇન્દ્રિયોનો વિજય કરવો, કષાયોને જીતવા અને કષાયો પીડે નહિ માટે મન, વચન અને કાયા ઉપર કાબૂ રાખવો, આ સત્તર પ્રકારના સંયમરૂપ તુંબને ધારણ કરનાર-શ્રીસંઘ કેવો હોય ?
સભાઃ એવા શ્રાવક કેટલા ?
મૂંઝાઓ નહિ. એવી ભાવનાવાળા તો જોઈએ ને ? જ્ઞાની તેમને બાતલ કરવા નથી માગતા, તમે તમારાં લક્ષણોથી બાતલ થાઓ એ વાત જુદી, અને એવી રીતે બાતલ થાવ તેમાં તો જ્ઞાની કરે પણ શું?