________________
1 – ૪ : સંઘનું પ્રતિનિધિત્વ કોણ ધરાવી શકે ? - 4 – ૫૧ છે? એ શાણાઓએ ખાસ વિચારવા જેવું છે. આવાઓ પાછા આજે કહે છે કે, જૈનો બેકાર છે પણ તેઓને ક્યાં ખબર છે કે, જો હજુયે નહિ ચેતાય તો આ ધર્મઘાતક પાપકાર્યવાહીઓના યોગે આથી પણ બૂરી દશા આવશે. સંઘના નામે અગર ધર્મના બહાને ધર્મનો નાશ કરવા કૂટ પ્રયત્નો કરવા અથવા કરનારને મદદરૂપ થવું અથવા તો છતી શક્તિને ધર્મના વિરોધમાં વેડફી નાખવી, એના જેવું એક પણ ઘોર પાપ નથી, માટે હજુ પણ ચેતો નહિ તો તેવાં પાપકૃત્યો કરનારની જાત માટે દુર્ગતિ, દુઃખ અને દારિદ્રય વગેરે કર્મસત્તા દ્વારા સર્જાઈ જ રહ્યું છે. અસ્તુ -