SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ શ્રી સંઘના માણસો દયા સાધુની ખાય કે સંસારીની ? સંયમધરને જોઈ દયા ખાનારા અને શ્રીમંતને જોઈ ખુશી થનારા, ખરે જ, કોઈ જુદી જ દશાના આત્માઓ હોય એમ લાગે છે. એવા આત્માઓ પ્રભુના સંઘમાં પોતાની જાતને કઈ રીતે રાખી શકે છે ? અવળા વિચારોથી તો શ્રાવકપણાનો નાશ થાય છે. મુનિવર, કે જે વિષયવાસના આઘી મૂકી સંયમની સાધનામાં રક્ત છે, તે તો ઉત્તમ આત્મા છે. એની દયા શી ? જૈનશાસનના બાપને તો દીકરા માટે એમ થાય કે, ‘આ જીવ જૈનશાસન પામીને ધર્મ સમજ્યા વિના મરી જશે તો તેની દુર્ગતિ થશે.’ આ વિચારના યોગે તે પોતાના દીકરાની દુન્યવી સાહ્યબીમાં ખુશી ન થાય. જૈન દર્શનકાર જેવા માર્ગદર્શક કોઈ નહિ મળે. ૫૦ 50 મુનિવરને જોઈને તો શ્રાવકને શેર શેર લોહી ચઢવું જોઈએ. મુનિવરને જોઈને શ્રાવકના હાથ જોડાઈ જ જાય. અરે ! સંયમના પરિણામવાળાને દેખે તોયે હાથ જોડાઈ જાય. સમાચાર મળે કે, અમુક સંયમ લેવાનો છે તોયે હાથ જોડવાનું મન થાય. એવા આત્માને પુણ્યવાન કહીને શ્રાવક ઊભો રહે અને પોતાનું ઘર પાવન ક૨વાનું કહે, આમંત્રણ આપે. આ રીતે સામાના સંયમના પરિણામ વધે. થોડા હોય તો વધુ થાય. પડવાની અણી પ્રર હોય તે પણ ચઢે. આ તો કહે કે - ‘સંયમ ? તને કોણે ભોળવ્યો ?' આ સંઘ ? સંઘનું પ્રતિનિધિ અંગ આ ? પેલો સંયમના પરિણામવાળો ઊલટો ગભરાય. એની વાત ચોરેચૌટે અને ચકલે-ચકલે પેલા દોઢચતુરો કરે. જે. હોય તે કહે કે, ‘પેલો ! ઓળખ્યો ?' અછતા દોષોથી પણ તેને નવાજે ત્યારે એ કમનસીબોને શાંતિ વળે. આવા સમયે સંયમના પરિણામવાળાની હાલત શી ? વેશ્યાના મકાનમાં કોઈ જાય એની હરકત નહિ, બાર વાગે હોટલમાં જાય ત્યાં વાંધો નહિ. નાટક-ચેટક-સિનેમામાં જાય તેની હરકત નહિ. સ્વચ્છંદી બની ફરે તેની હરકત નહિ અને અહીં સંયમ લેવા આવે ત્યાં વાંધો ? બધા સરખા ભેગા થાય, એમાંનો એક સાધુને પણ ‘સ્વાર્થી કહે, બીજો તેમાં ‘હા' ભણે, એટલે ત્રીજો તેમાં ટાપશી પૂરે કે, ‘સાધુમાં શો માલ છે ?’ ચોથો કહે કે, ‘સાધુઓએ જ સત્યાનાશ વાળ્યું છે.’ એટલે વળી પાંચમો કહે કે, ‘સાધુને તો સજા કરાવવી,' છઠ્ઠો વળી ડાહ્યો વકીલ હોય તે કહે કે, ‘રાજ્યમાં ઓળખાણ હોય તો ઓઘાવાળાને તો જેલમાં જ નખાવવા'. સાતમો વળી કહે કે, ‘એવું એવું હું લખી દઉં.’ અને પછી તેમાં રખડતાઓ સહી કરવા તૈયા૨ થાય. આવા નાટકના એક્ટર કરતાં પણ ગયેલા-વીતેલા પોતાની જાતને સંઘ તરીકે પૂજાવા માગે, એ કેટલી નાદાન અને ભયંકર મનોદશા
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy