________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
એ
“કોપાદિથી વ્યાપ્ત બનેલી વ્યક્તિ શ્રી વીતરાગદેવની પ્રતિપક્ષી છે, સાંભળીને વિવેકીઓને જીવવું એ પણ ભારે લાગે છે, કારણ કે, તેઓ તે સાંભળવા કરતાં મરવું સારું, એમ માનનારા હોય છે.”
તે સૂરિપુરંદરનું તે કથન આ રહ્યું :
“હે નાથ ! તારો પણ પ્રતિપક્ષ છે અને તે પણ કોપાદિકથી અસ્વસ્થપણાને પામેલો છે, આવી કિંવદન્તી સાંભળવા છતાં પણ વિવેકીઓ. શી રીતે જીવી શકે ?’
૪૮
આ પછી તે પરમર્ષિ ત્યાં સુધી ફરમાવે છે કે :
“હે વીતરાગ ! જેઓ ઇતર શાસનો સાથે તારા શાસનની સમાનતા માને છે, ખેદની વાત છે કે-હણાઈ ગયો છે આત્મા જેઓનો એવા તેઓને, વિષ પણ અમૃત સમાન છે.’
48
સામાન્ય મિથ્યાત્વ તો જુદું, આ તો અમૃતને પણ ઝેર બનાવે છે. દૂધના કુંડામાં પડેલો વિષનો કણિયો તમામ દૂધને ઝેરી બનાવે છે. જ્યાં સાચું-ખોટું દીવા જેવું દેખાય ત્યાં માધ્યસ્થ હોય ? જજ મધ્યસ્થ હોય ! તે ન તો વાદીના ન તો પ્રતિવાદીના હોય, ન તો ફરિયાદીના હોય કે, ન તો આરોપીના હોય પણ જ્યાં સુધી પોતાને નિર્ણય થાય નહિ ત્યાં સુધી જ ! નિર્ણય થઈ ગયા પછી જજમેન્ટ લખવા માંડે ત્યારે તો જે હોય તે સાફસાફ લખે કે, આ દોષિત છે કે આ નિર્દોષ છે. તેમ શ્રીસંઘમાં રહેવા ઇચ્છનારે પણ ખોટું માધ્યસ્થ્ય તજી દેવું ઘટે.
પોતાને ‘શ્રીસંઘ’ તરીકે ઓળખાવનારા ધર્મના સહાયક હોય કે ઘાતક ? નામધારી સંઘો તરફથી આજે ધર્મી આત્માઓનું જીવન જોખમમાં મુકાતું જાય છે. આવે સમયે છતી શક્તિએ ધર્મી આત્માને રક્ષણ ન આપનાર જૈનશાસનના ગુન્હેગાર છે. તિજોરીમાં લાખ ફે૨વે અને શાસન માટે કાંઈ ન ખર્ચે, તો એ લક્ષ્મી સુકમાઈની નથી. શ્રી જૈનશાસનમાં રહેલાની શ્રીમંતાઈ, ધીમંતાઈ અને બળ-શક્તિ વિગેરે શાસનસેવામાં આવા વખતે કામ ન આવે તો ક્યારે આવે ? વ્યવહારમાં પણ કહે છે કે, છતી સામગ્રીએ જેના સાથી ભૂખે મરે, તે શાણો ન
ન
૧. “તવા િપ્રતિપક્ષોઽસ્તિ, સોપિ ઝોપાવિવિત્તુત:। અનયા વિલાઽત્તિ, જિ. નીત્તિ વિવેનિનઃ ।।।।"
૨. “ત્વછાસનય સામ્યું છે, મન્યને શાસનાન્તરે । विषेण तुल्यं पीयूषं तेषां हन्त हतात्मनाम् ।।३।। "