________________
47 - ૪ : સંઘનું પ્રતિનિધિત્વ કોણ ધરાવી શકે ? - 4 –– ૪૭ બંધન શાં? હું કહું છું કે, વધુ બંધનો આ સદીમાં જ જોઈએ. વિનીત દીકરાને બાપ “આમ કર' એટલું જ કહે, પણ નાલાયક દીકરાની કાનપટ્ટી પકડે. શાણાને સાનમાં સમજાય, પણ મૂર્ખને ? ત્યાં તો જવા દેવ તેવી પૂજા !
આથી સ્પષ્ટ છે કે, અત્રે પણ કાંઈ નવું કહેવાતું જ નથી. પણ આજકાલ ચાલી રહેલી ભયંકર હિલચાલોના યોગે, અજ્ઞાનતાથી કોઈ ખોટામાં ફસાયા નહિ અને ધર્મથી ચલચિત્ત થાય નહિ, એ જ એક ઇરાદાથી, અમારી ફરજ સમજીને પ્રસંગનુસાર શ્રીસંઘના સ્વરૂપનું, શ્રી નંદીસૂત્રના આધારે નિરૂપણ કરવામાં આવે છે. આ પણ ઠીક અને આ પણ ઠીક, એમ બેય ઠીક ન કહેવાય. જેનામાં પરીક્ષક શક્તિની ખામી હોય તે જ તેમ કહી શકે ! અને બુદ્ધિના વિપર્યાસવાળો તો ઊંધું જ મારે. બેય ઠીક કહેનારમાં વિચારશક્તિની ખામી છે અને એ ખામી ક્રોધથી, માનથી, માયાથી, લોભથી અને વાહવાહની લાલસા વિગેરેથી પણ હોઈ શકે છે !!! સાચા અને ખોટા વચ્ચે ઇરાદાપૂર્વક તટસ્થ રહેવું એ એક જાતની ભયંકર મૂર્ખાઈ છે.
વસ્તુતત્ત્વને સમજવા માટે માધ્યસ્થ એ સદ્ગુણ છે, પણ સત્યાસત્યનો નિર્ણય થઈ ગયા પછી, “આ પણ ઠીક અને આ પણ ઠીક' - એમ કહેનારા મધ્યસ્થો તો ઇરાદાપૂર્વક પોતાની વાહવાહ માટે ધર્મનો નાશ કરનારા અને કરાવનારા છે.
• શ્રી વીતરાગસ્તોત્રમાં કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મારાજા ફરમાવે છે કે :: “હે વીતરાગ ! લાવણ્ય કરીને પવિત્ર શરીરવાળા અને નેત્રોને વિષે
અમૃતના અંજન જેવા તારા વિષે મધ્યસ્થપણું એ પણ દુઃખકર છે, તો પછી વિશ્વના કલ્યાણકર એવા તારે વિષે દ્વેષના વિપ્લવની વાત જ શી ?' .આ કથનથી સમજી શકાશે કે, સત્ય અને અસત્યની વચ્ચેનો ભેદ જાણવા
છતાં પણ “માધ્ય ભાવ” એ પણ કેવી અને કેટલી ભયંકર વસ્તુ છે. વાત (પણ ખરી છે કે આ “સત્ય” અને આ “અસત્ય-આ “તારક' અને આ “નાશકએમ જાણી લીધા પછી પણ મધ્યસ્થતા કેમ હોઈ શકે ?
કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા તો આગળ વધીને * ત્યાં સુધી ફરમાવે છે કે :
૧. “વિષપુથવપુષ, નેત્રામૃતાને !
माध्यस्थ्यमपि दौःस्थ्याय, किं पुनर्वृषविप्लवः ।।१।।"