________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
વાતો કર્યે જો ધર્મ આરાધતો હોત તો તો બધા મોક્ષે જાત. ધર્મની રક્ષા માટે પૂર્વપુરુષો રાજપાટ, દેશ, નગર, બધું છોડતા; એ ધર્મના ટેકીલાઓ હતા એથી પૂજાય છે. આપણે પણ આપણી જાતને ધર્મની સેવા માટે સમર્પી દેવી જોઈએ. સાચા અને ખોટામાં મધ્યસ્થ રહેવું એ ગુણ નથી :
૪૭
46
વ્યાખ્યાનમાં નવું કહેવાય છે એમ માનતા નહિ. શ્રી જૈનશાસનમાં દરેક વસ્તુના સાચા-ખોટા વિભાગ કરેલા છે. દેવ-ગુરુ-ધર્મમાં જેમ ‘સુ’ તથા‘કુ’નું સ્વરૂપ સમજાવાય છે, તેમ હમણાં સુસંઘ-કુસંઘનું સ્વરૂપ સમજાવાય છે. શ્રી જિનેશ્વરદેવના સાધુને નવું કહેવાની છૂટ છે જ નહિ. અરે, ભગવાન પણ કહી . ગયા કે, “જે અનંતા તીર્થંકર કહી ગયા અને ભવિષ્યના અનંતા તીર્થંકર જે કહેશે તે જ આ છે.” શ્રી તીર્થંકરદેવ પણ નવું નથી કહેતા, તો શ્રી તીર્થંકરદેવના અનુયાયી નવું ક્યાંથી કહે ? નવું કહેવાનો આ શાસનમાં રિવાજ નથી.
પહેલા શ્રી ઋષભદેવ ભગવાને પણ એ જ કહ્યું કે, નવું નથી અને ભગવાન શ્રી મહાવીરદેવે પણ કહ્યું કે, આ નવું નથી. આવા લોકોત્તર મહાપુરૂષો, કે જેઓ અનંતજ્ઞાનના ધણી હતા, તે પણ હોય છે તે જ કહે છે. બીજાં સામાન્ય કે જેઓ તેમની આજ્ઞામાં જ પોતાનું કલ્યાણ માને છે, તેઓ નવું કહે જ શાના ?
શ્રી જિનેશ્વરદેવના શાસનમાં ખૂબી એ છે કે, દ્વાદશાંગી અક્ષ૨રૂપે ફરે પણ ભાવરૂપે એ જ રહે. જે દ્વાદશાંગી શ્રી ઋષભદેવ ભગવાનના શાસનમાં, તે જ શ્રી મહાવીર ભગવાનના શાસનમાં અને તે જ શ્રી સીમંધરસ્વામી ભગવાનના શાસનમાં ! દ્વાદશાંહી ન હતી, નથી અને નહિ હોય એમ નથી; પણ હતી, છે અને હશે જ. દરેક શ્રી તીર્થંકરદેવ, શ્રી ગણધરદેવના પ્રશ્નના ઉત્તરમાં “પન્નેફ્ વા, વેડ઼ વા, વિનમેર્ વા” એ ત્રણ પદ ઉપરથી સર્વ ગણધરદેવો દ્વાદશાંગી રચે. શ્રી ઋષભદેવસ્વામી પાસેથી શ્રી પુંડરિકસ્વામીએ જેમ ત્રિપદી લઈ દ્વાદશાંગી રચી, તે જ રીતે ભગવાન શ્રી મહાવીરદેવ પાસેથી ત્રિપદી ગ્રહણ કરી શ્રી ગૌતમ મહારાજે દ્વાદશાંગી રચી, કોઈ કહે કે, ત્યારે તીર્થ નવું કેમ ? તો કહેવાય કે શ્રી તીર્થંકરદેવ અજ્ઞાનમાં પડેલી જનતાને તાજું કરી આપે માટે ચારનાં પાંચ વ્રત કર્યાં, એ પણ નવું નહિ. દરેક અવસર્પિણીમાં પહેલા અને છેલ્લા તીર્થંકરના સાધુઓને પાંચ મહાવ્રત અને વચ્ચેના બાવીસ શ્રી તીર્થંકરદેવના સાધુઓને ચાર મહાવ્રત હોય. જીવોના ભેદને લઈને એ છે. છેલ્લા તીર્થંકરના શાસનમાં રહેલા જીવો વક્ર અને જડ છે. વાંકા અને જડ માટે બંધન મોટું. મોટા મુનીમને શેઠ ઘડી ઘડી ન પૂછે, આંટા ખાનારને પૂછે. ઘણા બંધન ઓછી લાયકાતવાળા માટે ! ઘણા કહે છે કે, આ સદીમાં આટલાં બધાં