SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ 45 – ૪ : સંઘનું પ્રતિનિધિત્વ કોણ ધરાવી શકે ? - 4 - ૪૫ દે અને અવસાન પણ સુખે થવા દે. બીમારની આગળ દુનિયાના કોઈ પણ પદાર્થ ધરો, સોનૈયાના ઢગલા કરો, તો પણ શાંતિ થાય નહિ, કારણ કે, એ પદાર્થોમાં એ તાકાત નથી ! પણ જો એની સામે ધર્મ ધરવામાં આવે તો એને શાંતિ થાય. પોતાને તીર્થકરવત્ પૂજ્ય મનાવનારો શ્રીસંઘ આ બધું સમજે કે જેમ-તેમ ગપ્પાં હાંકે ? ગપ્પાં હાંકે ત્યાં તીર્થકર જેવી પૂજ્યતા કઈ રીતે સ્થપાય ? જે દેવને આપણે પૂજ્ય માનીએ છીએ, તેની મૂર્તિ પણ અંજનશલાકા થયા વગર આપણે પૂજતા નથી. ગમે તેવી વીતરાગતાવાળી મૂર્તિને માટે પણ પૂજ્ય બનાવવા વિધિવિધાન નિયત છે. આથી સ્પષ્ટ છે કે, આપણે નામના પૂજારી નથી પણ ગુણના પૂજારી છીએ. ગુણહિતનું નામ નકામું છે. ગુણહીનની આ શાસનમાં પૂજા નથી. - જગતમાં નામવાળા તો ઘણાયે થયા, પણ ચોવીસને જ કેમ પૂજો છો ? એ જ કારણ છે કે, તે અનંતગુણી છે ! નામ, સ્થાપના અને દ્રવ્ય - એ પણ ગુણવાનનાં જ પૂજ્ય છે; અન્યનાં નહિ ! નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ આ ચારે નિક્ષેપાને સમ્યગ્દષ્ટિ માને. એકની પણ અવગણના ન કરે. પણ પ્રથમના ત્રણની પૂજા એ શુદ્ધ ભાવને અવલંબીને છે; તો પછી ભાવરહિત એવા કેવલ “ નામના જ સંઘની પૂજા આપણાથી કેમ થાય ? આ પાટલીમાં જો કદાચ શ્રીસંઘની સ્થાપના કરવામાં આવે તો તેને ખુશીથી પૂજી શકીએ, પણ આ જીવતા અને જાગતા મનુષ્યો, કે જે ઇરાદાપૂર્વક ઊંધી જ કાર્યવાહી કરે, તેને કઈ રીતે પૂજીએ ? શાસ્ત્રવિહિત દીક્ષા અને ઉદ્યાપન આદિ - લ્યાણકર અનુષ્ઠાનોનો વિરોધ કરનાર તથા, “ઓઘાવિમોચક મંડળ” કાઢવાની વાતો કરનાર અને યથેચ્છ વર્તન ચલાવનારાઓ જો પોતાને શ્રીસંઘ તરીકે પૂજવા માગે, તો પૂજાય તો નહિ જ, પણ આપણું ચાલે તો આપણે તેઓને દૂર જ કરીએ; અને એ શક્ય ન હોય તો આપણે તેઓથી દૂર તો રહીએ જ ! આ બધું બરાબર સમજાય તો ધર્મની રક્ષા થાય. ધર્મની સામે એવી ભયંકર દીવાલ આજે ગોઠવાય છે કે, ધર્મીવર્ગમાં જો જાગૃતિ નહિ આવે, તો પરિણામ ઘણું ભયંકર આવશે.ધર્મી આત્માઓની તે ફરજ છે કે, ધર્મ સામે આવતાં આક્રમણોને પહોંચી વળવા પોતાનું સર્વસ્વ તજવાની તૈયારી કરી રાખવી. આવે સમયે ઉદાસીનતા રાખવી ન પાલવે. આપણામાં પણ જો ગુણ ન હોય તો, તો આપણે પણ નાલાયક.
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy