________________
૪ : સંઘનું પ્રતિનિધિત્વ કોણ ધરાવી શકે ? - 4 —— ૪૩
પૈસા માટે કે રાજ્ય માટે શું ન કરે ? એ લોકો તદ્દન જુઠ્ઠી વાહિયાત વાતો લખી-બોલી વાતાવરણને ભયંકર બનાવે છે. એવી યદ્વા તદ્ઘા વાત લખે છે કે-ન પૂછો વાત.
એક લખનાર મીશ્રીમલજી જેવા માટે લખે છે કે, “દીકરાની રજા વગર એમને મુંડી નાખ્યા અને પૂછ્યું ત્યારે કહે છે કે, મને છોડાવો ! પંચાવન વર્ષના એક વયોવૃદ્ધ પરમ શ્રદ્ધાળુ શ્રાવક પોતાના હૃદયથી આજીજીપૂર્વક સંયમ અંગીકાર કરે તેમને માટે પણ આવું લખાય, એ લખનારની કેટલી બધી કનિષ્ટ મનોદશા સૂચવે છે ? સત્યનો એક અંશ પણ જેમાં ન હોય તેવી વાતો આજે ફેલાય છે..
43
શ્રી જિનેશ્વર દેવની આજ્ઞામાં જ પોતાનું સર્વ શ્રેય સમજતા અને નિગ્રંથો જ પ્રભુશાસનના મંનરૂપ છે, એમ મક્કમપણે માનનારા સુવિહિત શ્રીસંઘો જો જાગ્રત નહિ થાય, તો બ્રિટિશ રાજ્યની હયાતીમાં પણ ધર્મ વિષમ દશામાં મુકાતો જાય છે અને વધુ મુકાશે. બ્રિટિશ સત્તા કોઈ પણ ધર્મની આડે આવવાનો ઇન્કાર કરે છે. વર્ષોથી નિર્વિઘ્નપણે આ રાજ્યસત્તામાં ધર્મનો અર્થી ધર્મની આરાધના કરી શકે છે. એ ધર્મને ખરાબ હાલતમાં મૂકવાનું કામ આપણામાં ગણાનારાઓ કરે છે. એમને માનવું કે ક૨વું કાંઈ નથી અને હક્ક બધા માગવા • છે ! જૈન તરીકેના આચારો સેવવા નથી અને સત્તા બધી જોઈએ છે.
એવાઓ સત્તા પાસે, ધર્મ કરનારાઓની વચ્ચે આવવાની માગણી કરે છે. સત્તા તો કહે છે કે, “સૌ સૌનો ધર્મ ખુશીથી સાધો !” આ લોકો તો કહે છે કે, “ધર્મ કરનાર અમને પૂછે !” એમને પૂછીને ધર્મ કરનારો ધર્મ કરવા જાય, એવી માગણી લઈને સત્તા પાસે એ લોકો જાય છે. સ્વરાજ્ય માગનારાની બુદ્ધિ કેટલી અને કેવી છે ? એની પરીક્ષા સત્તા પણ કરી લેશે.
અનેકો આજે દુનિયામાં રહેવા છતાં ભયંકર સ્વાર્થી બનીને અનેક પ્રકારના ન વર્ણવી શકાય તેવા અનર્થો કરી રહ્યા છે. તેની સામે કંઈ પણ નહિ કરનારા અને પોતાની જાતને પણ સ્વાર્થલોલુપી બનાવી દુનિયા ઉપર અસંખ્ય અનર્થો મચાવનારાઓ, કોઈ આત્મા પોતાની જાતનું કલ્યાણ, કે જેમાં વગર પ્રયત્ને પણ અનંતા આત્માઓને અભયદાન મળે છે, એવા સાધનાના માર્ગે ચઢે તેમાં અંતરાય કરવા પ્રયત્ન કરી પોતાની જાતને કેટલી કનિષ્ક બનાવી રહ્યા
૧. તેઓ રતલામના એક સારા શ્રાવક હતા. દીક્ષા બાદ તેમનું નામ મલયસાગરજી મહારાજ રાખવામાં આવેલ.