________________
૪૨
- સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ -
– 42 . કોઈ દેવ ભલે મહાન, ચમત્કારી હોય; પણ એનામાં વીતરાગત ન હોય, તો એની મારફત લાખ્ખો મળતા હોય તો પણ સમ્યગુદૃષ્ટિ આત્મા એને આત્માના તારક તરીકે પૂજવા નથી ઇચ્છતો. એવી જ મનોવૃત્તિ શ્રીસંઘના સંબંધમાં પણ કેળવવી જોઈએ. જેમ તારક દેવ, ગુરુ અને ધર્મની સેવા છોડવાની નથી, તેમ શ્રીસંઘની સેવા પણ છોડવાની નથી. તારક દેવ, ગુરુ અને ધર્મની જેમ શ્રીસંઘ પૂજ્ય જ છે. શ્રી જિનેશ્વરદેવ અને નિગ્રંથ ગુરુની જેમ શ્રીસંઘની પણ આજ્ઞા માનવાની છે. પણ જેમ ગુરુ ગુરુતામાં રહે તો ગુરુ અને ગુરુતા ગુમાવે તો ગુરુ નહિ, તેમ શ્રીસંઘ પણ સંઘત્વને સાચવે તો સંઘ, નહિ તો સંઘ નહિ ! વિચારો કે, જો ગુરુતા વિના પણ ગુરુપદે રહી શકાતું હોત તો જમાલીને મૂકીને ચાલ્યા આવનાર શિષ્યોને ભગવાન ગુરુદ્રોહી ન કહેત ?.
જ્યાં-ત્યાં સંઘના નામે આજે અનેક પ્રકારની ન થવા યોગ્ય વાતો થાય છે. ધર્મ વિકટ સંયોગોમાં ઘેરાતો જાય છે. ચોવીસે કલાક ધર્મ ઉપર આક્રમણ માટે શી શી કાર્યવાહી થાય છે તેનો કાળજીપૂર્વક વિચાર કરો ! આવે સમયે બેદરકારી કે ઉપેક્ષાભાવ કરવો એ કલ્યાણાર્થી આંત્મા માટે કોઈ પણ રીતે હિતાવહ નથી.
આજે અન્યથા તથા અનાચારના માર્ગે ચાલનારા માટે જાણે કે રતિભર બંધન નથી અને ધર્મમાર્ગે ચાલનારા માટે મુશીબતોનો પાર નથી. દુનિયાનો આદમી ગમે તેમ લખે, બોલે, એને કોઈ પૂછતું નથી. ધર્મ કરનારાની પાછળ બધી કમાલ છે. ધર્મીને એવી કફોડી દશામાં મૂકવા માગે છે કે, જેથી તેને રોતે હૃદયે ધર્મ છોડવો પડે. જેને ધર્મ પૂરેપૂરો પરિણામ પામ્યો હોય અને તે ગમે તેવા સંયોગોમાં પણ ધર્મની સાથે રહે તે વાત જુદી.
જે સ્થિતિ મુસલમાન રાજાઓ વખતે નહોતી, તે સ્થિતિ આજે રાજ્ય સારું છતાંયે આપણામાં ગણનારાઓએ ઊભી કરી છે. ધર્મ માટે આ રાજસત્તા તો અનુકૂળ છે. એ તો કોઈ પણ ધર્મની આડે આવવાની ના કહે છે, ત્યારે જેઓ આપણામાં ગણાવા ઇચ્છે છે અને પોતાની જાતને “સ્વરાજ્યની કફની પહેરનાર તરીકે ઓળખાવે છે, તેઓ રાજ્યસત્તાને કહે છે કે, “વચ્ચે આવો !” જેઓ વ્યવહારમાં સ્વરાજ્ય માગે છે, તેઓ ધર્મ માટે ગુલામી માગે છે. આવાઓનું માનસ વિચારવાનું છે. વાતો સ્વતંત્રતાની કરે છે અને કાર્યવાહી પરતંત્રતાની કરે છે. રાજ્યસત્તાને તો એ જ જોઈએ છે. એ તો કહેશે કે હિન્દુસ્તાનના લોકો ધર્મ પાળવા માટે લાયક નથી તો રાજ્ય શી રીતે કરશે ? કોઈ ધર્મ કરે તે ખમી શકતા નથી; કોઈ છોડીને ત્યાગ કરીને જાય ત્યાં મારામારી કરે છે; એવાઓ