________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
વહેવરાવવાનું યોગ્ય માની રહ્યા છો, તે અમને જરા પણ ઇષ્ટ નથી.’
પણ જો વિવેકપૂર્વક વસ્તુસ્વરૂપનો વિચાર કરવામાં આવે તો સમજાય કેમંદિરો અને ઉપાશ્રયો જેઓને ખટકે છે અને હોટલો નાટકશાળાઓ અને સિનેમાઓ જેઓને રૂચે છે, તેઓ જ ખરેખર અંધ છે, કારણ કે-તેઓને નાશક વસ્તુ ગમે છે અને તારક વસ્તુ ગમતી નથી. જે આત્માને જૈનશાસન રૂચે, પરિણમે, તેને વાસ્તવિક રીતે દુનિયામાં રસ ન જ હોય.
૪૦
40
રામવિજયજી જાદુ કરે છે ?
શ્રી તીર્થંકરદેવ એવા પુણ્યવાન કે-એમને જોવા તો કેટલાય આવે. એમનું સમવસરણ જોવા પણ કેટલાય આવે, કેટલાક તો શરીર જોવા આવે. એમની ચાલતી કાયાને દેખી કેટલાય આત્મા ધર્મ પામે, એમનાં દર્શન માત્રથી વગર ઉપદેશે પણ કેટલાય ધર્મ પામી જાય ! આચાર્યમાં પણ જેમ જ્ઞાનગુણ કહ્યો છે, તેમ આકૃતિગુણ પણ કહ્યો છે. આકૃતિ એવી કે દેખતાં જ સામા ઉપર છાયા પડે. શ્રી તીર્થંકરદેવ બોલે એક ભાષામાં, છતાં તિર્યંચો પણ પોતપોતાની ભાષામાં સમજે; હિંસક પશુઓ પણ ત્યાં શિર ડોલાવે. આવી શક્તિ ક્યાંથી લાવવી ? ઇચ્છીએ છીએ કે-એવી શક્તિ મળે કે જેથી સ્વ સાથે અનેક અન્ય આત્માઓનો પણ ઉદ્ધાર થાય. એક રૂપે ઉચ્ચારાતી છતાં અનેકરૂપે પરિણામ પામતી અને ચક્રવર્તીઓના મુકુટોને પણ ઉત૨ાવતી એવી શ્રી જિનેશ્વરદેવની વાણીનો જે પ્રચાર કરે તે શ્રીસંઘ, પણ તેનો નાશ કરવા મથે તે સંઘ નહિ ! સમાજનો ઉદય પણ એ પ્રભુવાણીના પ્રચારમાં જ છે.
સભા ‘રામવિજયજી જાદુ કરે છે' - એમ કહે છે.
એવી વાતો કરનારા સમાજોદયને રોકવા માટે ‘જાદુ' વગેરેની ભળતી વાતોથી લોકને ફસાવે છે. લોકો આવે અને ધર્મ પામે, એ તેઓથી ખમાતું નથી. કોઈ સંયમરસિક થાય, કોઈ પ્રભુમાર્ગની અનુપમ ક્રિયાઓની આરાધનામાં પોતાની શક્તિઓ ખર્ચે તે તેઓને ખટકે છે. ખરેખર, એ શાસનનું દ્રોહીપણું જ છે. બાકી તો સંસાર ભુલાવી મુક્તિ તરફ હૃદયને લઈ જવા માટે પ્રભુનું શાસન જાદુની માફક એકદમ, પણ સ્થાયી અસર કરે છે, એમાં જરા પણ શંકા નથી અને એ રીતની સ્વપર ઉભયનું આત્મકલ્યાણ કરવાની તાકાત મારામાં આવે, એમ હું સદાને માટે ઇચ્છું છું. અસ્તુ.