SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ રૂપક આપ્યું હતું, ત્યારે ચક્રની ઉપમામાં તપને આરાનું રૂપક આપી, સ્વાધ્યાય રૂપ તપમાં શ્રુતજ્ઞાનને ગ્રહણ કરી લીધું. અને નગરની ઉપમામાં તેને બાહ્ય પૃષ્ઠની ભૂમિનું રૂપક આપ્યું છે. એટલે ‘નગર’ અને ‘ચક્ર' એ બંને ઉપમાઓમાં સમાનતા અખંડિત રીતે જળવાઈ રહી છે. જ્ઞાની પુરુષોના સ્વરૂપવર્ણનની એ જ ખૂબી છે ! ૩૮ 38 સુસાધુ આજ્ઞાબાહ્ય લોકની પાછળ કદી જ ખેંચાય નહિ ! બાર પ્રકારનો તપ, સત્તર પ્રકા૨નો સંયમ અને શુદ્ધ સમ્યક્ત્વ જેનામાં હોય એ શ્રીસંઘ; એ શ્રી સંઘ વંઘ; એ શ્રી સંઘરૂપ ચક્રનો જય કોણ ન ઇચ્છે ? આ સંઘ સંસારને છેદે પણ સંયમને ન છેદે. સંયમનો છેદ ઇચ્છનારા તો સંઘના નામે ધાડપાડુઓ છે. શુદ્ધ શ્રદ્ધા આવે, બાર પ્રકારનો તપ આવે, સત્તર પ્રકારનું સંયમ આવે, પછી અનાચાર કયો રહે ? કોઈ જ નહિ ! પાંચ આશ્રવ બંધ થાય, પાંચેય ઇંદ્રિયોની લાલસા બંધ થાય, પછી ઇંદ્રિયો કેવી સુંદર આરાધના કરે ?, આંખો શું જુએ ? જિનમૂર્તિ, જિનાગમ, ધર્મગુરુ, સાધર્મિક, શાસ્ત્ર વિગેરે અને પ્રવૃત્તિમાં દયા જુએ ! આ સિવાયની પાપક્રિયાઓને આ આંખથી રસપૂર્વક જોવાનું બંધ થાય. પુણ્યયોગે મળેલાં ચક્ષુઓનો ઉપયોગ વિષય-કષાય વધારવામાં થાય, તો આંખ મળી પુણ્યથી અને કાર્યવાહી થઈ પાપની ! તારનાર સાધન ડુબાડનારું થયું. રસ્તે ચાલતાં કોઈ પણ જંતુ પગ નીચે આવીને મરી ન જાય એવી નીચી દૃષ્ટિએ કાળજીપૂર્વક ચાલવું જોઈએ, એને બદલે વિષયાધીનતાના યોગે કેવી રીતે ચલાય છે ? એ જ રીતે નાક, કાન, રસના અને સ્પર્શના માટે પણ એ જ કાયદો કે-આત્મકલ્યાણની સાધના માટે જ એ ઇંદ્રિયોનો ઉપયોગ વાજબી; સિવાયની ક્રિયામાં જેટલો ઉપયોગ એટલી એની આધીનતા, અને જેટલી આધીનતા તેટલી ત્રુટી ! તોય શાસ્ત્ર તો બારી રાખી કે-ખરાબ થઈ જાય છતાં એને ખોટું માને ! સારાને સારું માને અને સારું કરતા હોય તેઓને હાથ જોડે, તો પણ એ શ્રીસંઘમાં રહી શકે છે. જ્ઞાની પુરુષોએ એનો બચાવ કરવામાં કંઈ બાકી નથી રાખ્યું. પણ બચાવની સાથે એ પણ કહી જ દીધું કે-રહેવું પડશે તો યોગ્ય નંબરે જ. ખમાસમણ દેવાય પણ મગાય નહિ. હાથ જોડતાં શીખવાનું, પણ કોઈ હાથ જોડે તેથી રાજી નહિ થવાનું. ‘સાધુઓ અમારી ગમે તેવી વાતમાં પણ નમતું કેમ ન આપે ?' એમ ન બોક્ષય. સમ્યદૃષ્ટિ તે કે જે સાધુને નમે. સાધુને નમાવવાની ભાવના શ્રાવકથી રખાય જ નહિ ! કહેનાર કહે છે કે-“આજના લોકની પાછળ સાધુને ખેંચાયા વિના હવે
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy