SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ 17 – – ૩ : આજ્ઞાપ્રધાન સંઘ - 3 - એ વખતે આખા શ્રીસંઘે એમને સંઘ બહાર મૂકી દીધા. જ્યાં યોગ્યતાનો અણુ ન હોય ત્યાં શું થાય ? સંસર્ગવશાત્ કિંવા અશુભોદયવશાત્ આવેલી અયોગ્યતાને કાઢવા પ્રયત્ન જરૂર થાય. સલાહ પણ દેવાય અને હાથ પણ ફેરવાય; સમજતો હોય તો બધું કરાય પણ સમજે નહિ અને “ઊહું ઊહું” કરે તો ? જેનામાં પરિવર્તિત થવાની લાયકાત નથી તે અયોગ્ય. તેવાના નાયક બનવાની જરૂર પણ શી ? શ્રમણપણામાં જ સમાવેશ મુનિત્વમાં જ શ્રીસંઘનો સમાવેશ થઈ જાય છે. શ્રમણત્વહીન એ સંઘ નહિ ! આથી સ્પષ્ટ છે કે-શ્રીસંઘમાં કાં તો શ્રમણ હોય અગર શ્રમણની આજ્ઞા હોય. એ વિના માત્ર મોઢાની વાતો કામ ન લાગે. શ્રમણ હોય તો ઠીક, નહિ તો તે પુણ્યપુરુષની સલાહથી આજ્ઞાને અનુસરતું જે કાર્ય થાય, તે કાર્ય શ્રીસંઘે કર્યું કહેવાય. સાધુઓની સહી જ જોઈએ એમ નહિ, પણ સાધુઓને સંમત તો હોવું જ જોઈએ. વ્યવહારુ કામોમાં-જ્ઞાતિનાં કામોમાં સાધુઓનું કામ નથી, પરંતુ ત્યાં પણ જૈન સમુદાય આગમને બાધા આવે એવી ક્રિયા તો ન જ કરે, ભલે આગમને અનુસરતી ક્રિયા ન બને, પણ ઊલટી તો ન જ બનવી જોઈએ. જગતનો પણ વ્યવહાર છે કે-પ્રજા ગમે તે કરે પણ રાજ્યના કાયદાથી અવળું તો નહિ જ. જૈન સમુદાય એકત્રિત થઈને એવો ઠરાવ કરે ખરો કેકંદમૂલાદિનું કે દ્વિદલાદિનું ભક્ષણ કરવામાં કશી જ હરકત નથી-અને જમણ આદિ રાત્રિના સમયે ખુશીથી કરી શકાશે ?” કદી જ નહિ ! એવી જાતના ઠરાવો કરનારા તો પોતાને જૈન તરીકે કહેવરાવી પણ નથી શકતા. વ્યવહારુ કામોમાં સાધુઓનું કામ જ નથી. તે કામોમાં માત્ર તમે આગમ-વિરુદ્ધ કરતા હો તો તમને સમજાવીને રોકે, તે સિવાયની તેમાં સાધુઓ તમને બીજી કોઈ પણ જાતની મદદ ન આપે. - શ્રીસંઘનાં સ્વરૂપવર્ણનમાં સમ્યગદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્મચારિત્રઆ ત્રણ સિવાય બીજું કશું જ નથી. અને હોય પણ શું ? જે હોવું જ જોઈએ તે જ હોય, એમાં વિકલ્પ શો ? સૂત્રકાર મહારાજે શ્રીસંઘનાં રૂપકોને એવાં સુંદર ગોઠવ્યાં છે કે તેનું વર્ણન સાંભળીને આનંદ જ આવે. નગરની ઉપમા આપી ત્યાં કિલ્લા તરીકે અખંડ ચારિત્રને મૂક્યું અને ચક્રની ઉપમામાં તુમ્બા તરીકે સંયમને મૂક્યું. પાંચે આશ્રવોનું વિરમણ, એ પાંચ મહાવ્રતો છે. ચક્રની ઉપમામાં જ્યારે ઇંદ્રિયોનો જય વિગેરે ઉત્તર ગુણમાં આવે, ત્યારે નગરની ઉપમામાં મકાનોને ઉત્તર ગુણોનું રૂપક આપ્યું છે. નગરની ઉપમામાં શ્રતરત્નને લક્ષ્મીનું
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy