________________
૫૪૦
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
નથી તો ૨ખડતાને પ્રેમ ક્યાંથી આવી ગયો ? સંઘ ઠરાવે કે, દીક્ષા વિરુદ્ધ ખોટી રીતે આંગળી ચીંધનારને સંઘ બહાર મુકાશે, તો બધી દીક્ષા જાહે૨માં એની મેળે અપાશે. વળી એવાઓનો પોતાનાં સંતાનો ઉપર પણ પ્રેમ કેવો છે, તે શાસ્ત્ર સારી રીતે સમજાવે છે. અને તમે જ કહોને કે, ઘરનાં માણસ કામ ન લાગે ત્યારે તે સ્વાર્થીઓને કેવાં લાગે ? છોકરો કમાય નહિ તો ખવરાવવું સ્વાર્થી બાપને ભારે લાગે કે નહિ ? બસ, આ જ પ્રેમ ને ?
540
છોકરાની વહુ જરાક કામ ન કરે તો પત્તર ખાંડી નાંખે તે એ કે બીજા ? છોકરાની વહુ વિધવા થાય તો પૂરું ખાવા પણ ન આપે - એવી તો આજે સ્વાર્થીઓની દશા છે. જેઓ વિધવા-વહુને પૂરું ખાવા ન દે અને કામ બધું કરાવે, છતાં પણ જો સંયમ લેવા જાય તો સાસુ-સસરો ન જવા દે, કેમ કે, ઘરની મજૂરણ જાય ને ? અસ્તુ. એ તો હજુ સંબંધીઓ છે, પણ જેઓને કશું જ લાગતું-વળગતું નથી, જેઓ માત્ર દીક્ષાવિરોધના કારણે જ વિરોધ મચાવે, તેવાઓની વચ્ચે દીક્ષા ન અપાય એમાં આશ્ચર્ય પણ શું છે ?
જ્યાં સહાયક છે ત્યાં તો બરાબર બધાની સમક્ષ જ અપાય છે. વળી, ‘નાના બાળકને મા-બાપની હાજરી વિના દીક્ષા કોઈએ આપી' એવા દાખલા પાંચદશ પણ કોઈ બતાવે છે ? શક્તિ હોય તો કરે પુરવાર ! બાકી ભયંકર આત્માઓથી તો છૂપી પણ આપવી જ પડે; અને આવી સત્ય વાતમાં તો તે ઇન્કાર કરે કે, જે વસ્તુને ન માને !
દીક્ષિતની પત્ની એ શ્રાવકસંઘની માતા !
દીક્ષા લેનારની પાછળ કુટુંબી, વાલી-વારસ, મા-બાપ, ભાઈ, દીકરા, પત્ની બોલે એ તો કદાચ ક્ષન્તવ્ય પણ ગણાય ! એના વૈરાગ્યને ચંચળ બનાવી લઈ જવાના ઉચિત પ્રયત્નો પણ મોહવશ હોય તો કરે. પણ રસ્તાના ઉઠાવગીર કહે કે, ગમે તેમ કરીને ઉપાડી જઈએ, એ કેમ ચાલે ? મોહના યોગે સ્ત્રી બધું કરે. સ્ત્રી, સંઘને છેવટે એમ પણ કહે કે, ‘પણ મારું શું થાય ?' તો સંઘ એને કહે કે, ‘તું તો પુણ્યવાન છો, તારો પતિ પુનિત માર્ગે પ્રયાણ કરે છે, તને વાંધો શો ? તારી તો સેવા કરવા સંઘ સદાય જીવતો છે.' દીક્ષિતની પત્ની એટલે ગુરુપત્ની અને ગુરુપત્ની એટલે શ્રાવકસંઘની માતા. એવી માતાની સેવા કોણ ન કરે ? ધર્મી માત્ર કરે.
વધુમાં હજી તમને ખબર નથી. સ્ત્રી દીક્ષા અપાવવામાં વાંધો ન લે, પણ કેટલાક એવાઓ છે કે જે એમ કહે કે, ‘અમે સમજ્યા ! તને પતિ ગમતો નથી,