SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૮ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ – 538 તમે ડૉક્ટરને શા માટે બોલાવો છો ? નાડ જોઈને દરદ કહેવા અને દવા. કરવા કે “હા” એ “હા” કરી, ગપ્પાં મારી, ફી લઈ ભળતાં પડીકાં આપવા ? કોઈ તમને પૂછે કે સાધુને માનો છો શા માટે, સાધુ પાછળ આટલા ગાંડા શા માટે; તો શું કહેશો ? કાગળમાં તો લખે કે, “તરણ-તારણ જહાજ સમાન” તે જહાજ શું કરે ? ક્યાં આવે ? સભાઃ બંદરે પેસેન્જર લેવા આવે. એકલાને કે બંગલાની સાથે ? વિચારો ! વિચારશો તો આપોઆપ સમજાશે કે, આજે બધી મારામારી “હું” અને “મારું'ની છે. હવે તો એ બધામાં પ્રવેશ્ય છે. ધર્મમાં પણ પ્રવેશ્ય છે. વિચાર પણ “મારા !” અમલ પણ “મારા વિચાર : પ્રમાણે !” આજે એ ઉન્માદ જાગ્યો છે. એને પૂછો કે, તારા વિચાર મુજબના અમલનું ભવિષ્ય શું? તો કહેશે કે, “એનું શું કામ ? પ્રયત્ન કરો !” જ્યારે અહીં (ધર્મમાં) તો ભવિષ્ય નક્કી છે. આમ કરે તો આમ થાય અને આ દશામાં મરે તો આ ગતિ અને આ દશામાં મરે તો આ ગતિ, એ બધું ભવિષ્ય નક્કી થયું છે. સંયમ પૂરું પાળે તે મુક્તિએ જાય. અધૂરું પાળે તે દેવલોકમાં જાય અને વિરાધના કરે તે ખાડામાં પણ પડે. અહીં ભવિષ્ય નક્કી છે. જ્યાં વિચારમાં ઠેકાણું નથી, જેને વિચારના અમલના ભવિષ્યની ખબર નથી, એ વિચાર પર મારાપણાને લઈને મદાર ? અને જ્યાં ભવિષ્ય નિશ્ચિત છે, ત્યાં વિચારના મારાપણાના અભાવે એનો અમલ નહિ ? આ કારણથી જ શંકાનું ભૂત વળગ્યું છે. ખરેખર, વિચારીએ તો ખોટા મારાપણાના યોગે પાંચેય દોષનું આજે જૈન સમાજમાં કેટલેક સ્થળે સામ્રાજ્ય છવાયું છે. શંકા તો એટલી, કાંક્ષાયે એટલી, વિચિકિત્સાયે એટલી મિથ્યામતિ ગુણવર્ણનનો તો પાર જ નહિ અને મિથ્યામતિના પરિચયનું તો પૂછવું જ શું ? આ સ્થિતિમાં સમ્યગ્દર્શન રૂપ પીઠ શી રીતે બંધાય? એના પર મેરૂ પહાડ સ્થિર શી રીતે રહે ? સભાઃ સ્થિર કરો. સ્થિર કર્યા પણ સ્થિર થાય તેવા હોવા તો જોઈએ ને ? અમુક આત્માઓ તો એવા કે, સ્થિર કરવાનો પ્રયત્ન કરનારાઓને પણ કલંકિત કરે. આજે તમે જોઈ રહ્યા છો કે, તેવાઓનું જ્યારે કશું જ નથી ચાલતું, ત્યારે તેઓ સાધુઓ - ઉપર આરોપ મૂકે છે કે, જેને તેને મૂંડી નાંખે છે ! આની સામે ખરી વાત એ છે. કે, પુણ્યાત્માઓ મુંડાવા આવે છે, છતાંય પોતાને સુધારક મનાવનારા અને સાધુતાના વિરોધીઓ એવું વાતાવરણ ફેલાવે છે કે, “સાધુઓ જેને તેને મૂડી
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy