________________
૩૪.
સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૧
ખેલનાર અનેક મૂર્ખાઓ પાક્યા છે? નગરમાં એવા પણ હોય કે જેઓને કિલ્લો ભયરૂપ લાગે ! કેમ કે-દરવાજો હોય અને ત્યાં પહેરેગીર હોય એટલે માલ લઈને ભગાય નહિ; પહેરેગીર પૂછે, ન બોલે તો પકડે અને વખતે શિક્ષા પણ કરે; માટે આવા લોકોને કિલ્લો ગમતો નથી. એવા લોકો કહે છે કે-આ કિલ્લા એવા બનાવ્યા છે કે જેમાં વાત જ સમ્યગુદર્શનની, શ્રતરત્નની અને ગુણપ્રાપ્તિની ! ચોથી વાત તો આવડતી જ નથી.' આવડે ક્યાંથી ? કિલ્લો જેની રક્ષા માટે હોય તેની જ એ રક્ષા કરે. શ્રીસંઘ રક્ષક છે, માટે જ તેને નગરની ઉપમા ઘટે છે.
હવે શ્રીસંઘરૂપ નગરમાં વસનાર પોતાના સંસારને છેદવા જ. ઇચ્છે. સંસારનો ઉચ્છેદ કરવા ઇચ્છતા આત્માઓ માટે, શ્રીસંઘ ચક્રનું કામ કરે એમાં આશ્ચર્ય શું જે શ્રીસંઘ સંસારનો છેદક બનવાને બદલે પોષક બને, તેનામાં પણ સંઘત્વ નથી ટકતું; માટે તે પણ પૂજ્ય નથી જ. સંસાર પોષવાની ક્રિયા ધમધોકાર કર્યો જ જાય અને એમાં જ આનંદ માને, એવાની પૂજા એ પણ પરમતારક તીર્થંકરદેવોની આશાતનો જ છે અને એ પુણ્યપુરુષોની આશાતનાનું ફલ અનંત સંસાર છે, એ વાતમાં જરા પણ શંકા રાખશો નહિ. આપણી ઇચ્છા સંસારને વધારવાની નથી, એટલે આપણે તેવા સંઘને કેમ જ પૂજીએ ?
શ્રીસંઘરૂપ ચક્રમાં સત્તર પ્રકારના સંયમરૂપ. તુમ્બો છે, બાર પ્રકારના તપરૂપ આરા છે અને સમ્યકત્વરૂપી ધારા છે. ધારાનું કામ એ કે-એ ચક્રની ધારાની મજબૂતીથી આરા મજબૂત રહે અને તો જ તુમ્બો ધાર્યું કામ આપે. શ્રીસંઘરૂપ ચક્રની સમ્યગદર્શનરૂપી ધારા એવી તેજ હોય કે-સંસારની લાલસાને કાગ્યે જ જાય. પોષવાનું કામ એનું નહિ. એ વાસના કપાઈ કે બાર પ્રકારના તપરૂપ આરા મજબૂત બને અને તેમ થાય તો સત્તર પ્રકારનું સંયમ દીપે. એ દીપે કે-પૂજ્યતા આવે. એ પૂજ્યતાના યોગે પૂજ્ય બનેલા શ્રીસંઘને અવશ્ય પૂજીએ. આપણે ઉઘોષણાપૂર્વક કહીએ છીએ કે અમે શ્રીસંઘના પૂજક છીએ : પણ યોગ્યતા તો જોવાના ! સંયમના સત્તર પ્રકાર :
પ્રાણાતિપાતાદિક પાંચ પ્રકારના આશ્રવોથી વિરામ પામવો એટલે પાંચ મહાવ્રતોનું પાલન કરવું, પાંચ ઇંદ્રિયોનો નિગ્રહ કરવો, ચાર પ્રકારના કષાયોનો
૧. “પન્થાશ્રવિિરમvi, પબ્લેન્દ્રિનિBE: Hથનાઃ |
તાત્રયવિરતિતિ, સંયમ: સતવમેલઃ III”