________________
૩ : આશાપ્રધાન સંઘ - 3
હક્કનું પાલન કરતાં ન આવડે તો જન્મસિદ્ધ હક્ક પણ છીનવી લેવાય છે. કરોડપતિને ત્યાં જન્મનારા પણ કંઈક ભીખ માગતા થઈ ગયા. કપાળ નાનું અને બુદ્ધિ બારદાન જેટલી હોય તો એમ પણ બને. શ્રીમંતાઈ ભોગવવી હોય તો બુદ્ધિ અને ભાગ્ય બેય જોઈએ. આપણને ગુણહીન સમુદાય સાથે સંબંધ નથી, કારણ કે-આપણને તો ગુણો સાથે સંબંધ છે. ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા કહે છે કે-‘આજ્ઞામય ચાર હોય તો પણ ચાલે.’ ચાર લાખ હોય તો પણ વાંધો નથી, ચાર જ જોઈએ છે એમ પણ નથી, પણ ચાર લાખને માટે ચાર ગુણવાનને પણ ન જ છોડાય, એવો એ કથનનો આશય છે. આથી જ સૂત્રકાર મહર્ષિએ શ્રીસંઘને પ્રથમ ‘નગર'નું રૂપક આપીને સમજાવ્યું કે-તે સંઘરૂપ નગરની રક્ષા માટે અખંડ ચારિત્રરૂપી ફિલ્લો છે અને તે નગરમાં મકાનો રૂપ ઉત્ત૨ ગુણો છે, શેરીઓ રૂપ શુદ્ધ સમ્યગ્દર્શન છે અને તે નગરની લક્ષ્મીરૂપ શ્રુતરત્નો છે.
33
૩૩
વિચારો કે-આ વસ્તુઓથી નગરની ઉપમાને પામેલો શ્રીસંઘ કોને ન ગમે ? જે શ્રીસંઘને પોતાના સંઘત્વની કિંમત છે, જે શ્રીસંઘને પોતાના સંઘત્વને સુરક્ષિત રાખવા માટે કિલ્લારૂપ અખંડ ચારિત્ર ન ગમે, તે સંઘનું સંઘત્વ ટકે જ કેમ ? જેની હયાતીમાં જ પોતાની હયાતી નિર્માઈ છે તેની હયાતી જેને ન ગમે
તેનું થાય શું ? ‘સંઘ’ તરીકે ઓળખાતા જે સમુદાયને અખંડ ચારિત્ર ખટકે, “ઉત્તર ગુણો અરુચિકર થાય, સમ્યગ્દર્શન કિંમત વિનાનું લાગે અને શાસ્ત્રો પ્રત્યે રતિભર પણ પ્રેમ ન હોય, તે સમુદાય સંઘરૂપ નથી, નથી, ને નથી જ.'
આજનાં કેટલાક બીનજવાબદાર માણસો કહે છે કે-‘અમે નવું શાસ્ત્ર બનાવીશું.' પણ એમ કહેનારાઓને શ્રી જિનેશ્વરદેવે સ્થાપેલા શ્રીસંઘમાં સ્થાન પણ નથી અને એવા રખડતા માણસોના ટોળાને સંઘ કહેવો, એ પણ ભગવાન્ શ્રી તીર્થંકરદેવોની ઘોર આશાતના કરવા બરાબર છે; તો પછી તેને માનવા કે પૂજવાની તો વાત જ શી ? કેમ ન પૂજીએ ?
-
અવશ્ય પૂજીએ
:
કિલ્લો તો ચોર-લૂંટારાને ન ગમે, કારણ કે-તેના યોગે ધાર્યું બહાર ન જવાય. આજના લોકોનો હલ્લો તો ચારિત્ર ઉપર છે, એટલે કે-શ્રીસંઘના ચારિત્રરૂપ અખંડ કિલ્લા ઉપર છે, અને એથી એ જ ધ્વનિત થાય છે કે-તેઓને ગુણો ઉપર દ્વેષ છે અને શ્રુતજ્ઞાન ઉ૫૨ કંટાળો છે. એટલે કહે છે કે-બધા આવું જ લખી ગયા.
બનવું જૈન અને ગમે મોજમજા, એ કેમ ચાલે ? શાહની પેઢી પર ચોપાટ